ગૃહમાં બીજા પ્રશ્ન પર ટૂંકી મુદ્દતની ચર્ચામાં ડિસાના ધારાસભ્ય શસિકાંત પંડ્યા બનાસકાંઠા, જામનગરમા થયેલા કૃષિ નુકસાન અંગે સરકારને પ્રશ્ન પૂછ્યો હતો.
બનાસકાંઠા, જામનગરમા કૃષિમા નુકશાન પર ટૂંકી મુદ્દતની ચર્ચા
ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન
કૃષિમા નુકસાનીનો અહેવાલ મહિનાના અંતમા આવી જશે
રાજ્ય (Gujarat)માં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાનીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. ગત જુલાઇ મહિનામાં ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે. આ ચોમાસા દરમિયાન વરસાદથી પ્રભાવિત 9 જિલ્લાઓમાં સર્વે પુર્ણ કરી દેવામાં આવ્યો છે. સરકારને તમામ રિપોર્ટ સોંપી દેવાની તજવીજ પણ હાથ ધરાઇ છે.
કૃષિમાં નુકસાનીનો અહેવાલ મહિનાના અંતમાં આવી જશે: કૃષિમંત્રી રાઘવજી પટેલ
તે બાદ વરસાદના બીજા રાઉન્ડમાં બનાસકાંઠા, જામનગરમાં ખેતીને ભારે નુકસાન થયું હતું. જેની ચર્ચા આજે વિધાનસભા સત્રમાં કરવામાં આવી હતી. આ બંને જિલ્લાઓના ખેડૂતોને પણ સહાયનો ટેકો મળે તેવી રજૂઆત કરવામાં આવી. જેના જવાબમા વિધાનસભામાં રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે કૃષિમાં નુકસાનીનો અહેવાલ મહિનાના અંતમાં આવી જશે. ખેડૂતોને નિયમ મુજબ સહાય આપવામાં આવશે તેવો કૃષિમંત્રીએ દાવો પણ કર્યો છે.
33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે
રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનના સહાય પેકેજ નક્કી કરાશે. 33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે. જો કે, બિયારણનું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે.
નર્મદા જિલ્લાના 547 ગામમાં સર્વે થયો
નર્મદા કુલ 59,430 વિસ્તાર અસરગ્રસ્ત થયો
નર્મદા જિલ્લામાં ૨૦ જેટલી ટીમોએ સર્વે કર્યો
છોટાઉદેપુરના 880 ગામો પાક નુકસાનીનો સરવે કરાયો
1,30, 555 હેક્ટર વિસ્તારમાં સરવેની કામગીરી થઈ
છોટાઉદેપુર જિલ્લામાં 40 જેટલી ટીમોએ સર્વે કર્યો
નવસારીમાં 387 ગામોમાં સરવેની કામગીરી કારાઈ
9457 હેકટર વિસ્તારમાં સર્વે થયો, 70 જેટલી ટીમોએ સર્વે કર્યો
નવસારી જિલ્લામાં 3014 હેકટરમાં 33 ટકાથી વધુ નુકસાન
નવસારી જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ
પંચમહાલ જિલ્લાના 39 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ
830 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પુરી
પંચમહાલના 525 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકશાન
સૂરત જિલ્લામાં 96 ગામમાં સર્વની કામગીરી પૂર્ણ
235 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પૂર્ણ
163 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધું નુકસાન
વલસાડ જિલ્લાના 283 ગામ સર્વેની કામગીરી પૂર્ણ
6348 હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં
610 હેક્ટર વિસ્તારમાં 33 ટકા થી વધુ નુકસાન
તાપી જિલ્લામાં 256 ગામમાં સર્વેની કામગીરી પુરી
744 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરાઈ
ફૂલ 430 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધું નુકસાન
ડાંગ જિલ્લામાં 310 ગામમાં સર્વેની કામગીરી પુરી
20,807 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પુરી
830 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધું નુકસાન
ક્ચ્છ જિલ્લામાં 352 ગામોમાં સર્વેની કામગીરી થઈ
13,979 હેકટર વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો
કુલ ૧૨૦ સર્વે ટીમ લાગી હતી કામે
રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત તેમજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, કચ્છ મળી કુલ 9 જિલ્લાઓના ૩૮થી વધુતાલુકાઓમાં કૃષિ પાકો અસરગ્રસ્ત થયા હતા.અસરગ્રસ્ત તાલુકાઓના કુલ ૧૨૦ સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરીએ લાગી હતી. આશરે 4000થી વધુ ગામડામાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે.
કૃષિ ક્રેડિટના રિપોર્ટમાં શું થયો હતો ખુલાસો?
ગુજરાતના ખેડૂતોના રિપોર્ટકાર્ડમાં પરિસ્થિતિ કંઇક અલગ જ સામે આવી છે. બે વર્ષમાં ગુજરાતના ખેડૂતોનું દેવું વધ્યું છે. ગુજરાતના ખેડૂતોની લોન પણ વધી છે. ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે. કૃષિ ક્રેડિટના રિપોર્ટ પ્રમાણે બે વર્ષમાં કૃષિ ક્રેડિટ 32 ટકા વધી છે. તો એગ્રીકલ્ચર ક્રેડિટ હેઠળની લોન 45 ટકા વધી છે.2019-20માં ગુજરાતમાં કૃષિ ક્રેડિટ 73 હજાર 228 કરોડ હતી જે 2021-22માં ગુજરાતમાં કૃષિ ક્રેડિટ વધીને 96 હજાર 963 કરોડ થઇ. ખાતા દીઠ એગ્રિકલ્ચર લોન 1.71 લાખથી વધી 2.48 લાખ રૂ. થઇ ગઈ છે. બે વર્ષમાં ખેડૂતોના ખેતીને લઇને પડકારો પણ રહ્યાં છે. તૌકતે વાવાઝોડાથી લઇને અનરાધાર વરસાદે ખેતરોને તબાહ કર્યા છે. વળતરના નામે પણ ખેડૂતોના કહેવા પ્રમાણે ખાસ સહાય મળતી નથી. તેવામાં બે વર્ષમાં ખેડૂતોને ખેતી માટે જરૂરી બિયારણ,ખાતર કે પછી જરૂરી દવાઓના ખર્ચમાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્યો છે.