ગાંધીનગર: મગફળીના ગોડાઉનોમાં લાગેલી આગ મામલે નાફેડે દોષનો ટોપલો રાજ્યસરકાર પર ઢોડયો છે. ત્યારે કૃષિમંત્રી આર.સી ફળદુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પોતાની જવાબદારીઓમાં બચવા માટે નાફેડ આવા નિવેદનો કરી રહ્યું છે. ફળદુએ સવાલો ઉભા કરતા જણાવ્યું કે ભારત સરકારે કોને મગફળી ખરીદવાનું કહ્યું છે ?
જામનગરમાં જે ગોડાઉન સળગ્યું કે કેન્દ્રનું છે અને આ ગોડાઉન 2 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું. નાફેડના આરોપોનો કૃષિમંત્રીએ જવાબ આપતા કહ્યું કે નાફેડ દ્વારા જ્યારે જ્યારે મોટી ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે મિટીંગનું પણ આયોજન કરવામાં આવે છે. જોકે આવી એક પણ મિટીંગમાં નાફેડના ચેરમેન કેમ હાજર નથી રહ્યા ? અને જ્યારે જ્યારે આગ લાગી ત્યારે સરકારે માણસો મોકલ્યા છે. ત્યારે તમે ક્યાં હતા..?
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયગાળાથી સરકારી ગોડાઉનમાં રહેલો મગફળીનો જથ્થો સળગવાની ઘટનાઓ બને છે ત્યારે તંત્ર અને સરકાર એક-બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતી આવી છે ત્યારે ગતરોજ પણ મગફળી કૌભાંડ મુદ્દે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ સરકાર પર આક્ષેપ કર્યા છે કે મગફળી ખરીદીમાં મોટાપાયે ગોટાળો થયો છે.
તેના વળતા જવાબમાં ડે.સીએમ નીતિન પટેલે જણાવ્યું કે મગફળીની તમામ ખરીદી નાફેડ હસ્તક કરાઈ હતી. મગફળી ખરીદીમાં રાજ્ય સરકારનો કોઈ રોલ નથી. ખોટા લોકો દ્વારા યોજનાનો દુરઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમારી ખરીદીમાં ક્યાંય ભેળસેળ નથી.
મગફળી સળગવાના બનાવો વચ્ચે સરકાર અને નાફેડ એક-બીજા પર આક્ષેપો કરી રહી છે ત્યારે રાજ્યના કૃષીમંત્રીએ પોતાનો મત રજુ કરતા જણાવ્યું હતું કે પોતાની જવાબદારીઓમાં બચવા માટે નાફેડ આવા નિવેદનો કરી રહ્યું છે. ફળદુએ સવાલો ઉભા કરતા જણાવ્યું કે ભારત સરકારે કોને મગફળી ખરીદવાનું કહ્યું છે ? ત્યારે હવે જોવું જ રહ્યું કે આગામી સમયમાં પરિણામ શું આવે છે.