સરકાર અને ખેડુતો વચ્ચેની વાતોનો પાંચમો રાઉન્ડ શનિવારે સમાપ્ત થયો છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નવી દિલ્હીના ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વાતચીત થઈ, જે નિરર્થક હતી. વાતચીત સમાપ્ત થયા પછી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ખેડૂતો સાથેની બેઠક બાદ કૃષિ મંત્રીનું નિવેદન
બેઠક સારા માહોલમાં યોજાઇ
વાતચીત માટે તૈયાર પરંતુ એમએસપી ચાલુ રહેશે
તોમરે કહ્યું, સારા માહોલમાં ખેડૂતો સાથે વાટાઘાટો થઈ છે. સરકારને કેટલાક સૂચનો જોઈએ. તેમણે કહ્યું કે એમએસપી ચાલુ રહેશે, જેમ મામલે કોઇપણ પ્રકારની શંકા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે એસએસપી ચાલુ છે અને ચાલુ રહેશે, જો આપણા મનમાં આને લગતી કોઈ શંકા છે, તો અમે તેને દૂર કરવા તૈયાર છીએ.
મોદી સરકાર હંમેશા ખેડૂતોની સાથે છેઃ તોમર
ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે 5માં તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, મોદી સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે, ખેડૂતોની તમામ શંકાઓને દૂર કરવામાં આવશે, MSPમાં કોઇપણ પ્રકારનો બદલાવ નહીં કરીએ. 9 ડિસેમ્બરે ફરી બેઠક યોજાશે.
તોમરે કહ્યું કે, કૃષિ બિલ ખેડૂતોના હિતમાં લવાયું છે. આંદોલન છોડીને ચર્ચાનો રસ્તો અપનાવવા અપીલ કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે કોઇ સૂચન મળે. સરકાર સમાધાનનો રસ્તો તપાસશે. અનુસાશન સાથે આંદોલન કરતા ખેડૂતોને અભિનંદન.
બેઠકોમાં મુદ્દાઓ ઉકેલાઈ રહ્યા છે: તોમરનો દાવો
બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે MSP મુદ્દે ખેડૂતો ચિંતા ન કરે. MSP રહેશે જ. આ ઉપરાંત તેમણે આ બેઠકોને ફળદ્રુપ ગણાવી હતી અને ખેડૂતોને પોતાની અને દિલ્હીના નાગરિકોની સુવિધા સાચવવા માટે આ આંદોલન સમાપ્ત કરી દેવા વિનંતી કરી હતી.
બિલ રદ કરવા સિવાય તમામ માંગ સ્વીકારીશું: કેન્દ્ર સરકાર
ખેડૂતો સાથેની બેઠકમાં સરકારે કહ્યું છે કે સરકાર ત્રણ બિલ રદ કરવા સિવાય તમામ માંગ સ્વીકારવા તૈયાર છે. તેમણે ખેડૂતો સામે લાગેલ પરાળ બાળવાના કેસ પણ પાછા ખેંચી લેવાની ઓફર આપી છે. જો કે ખેડૂતોએ કહ્યું છે કે જો સરકાર બિલ રદ નહીં કરે તો ખેડૂત આગેવાનો મિટિંગમાંથી વોક આઉટ કરી દેશે. આ તરફ સરકારે અપીલ કરી છે કે વૃદ્ધો અને બાળકો આંદોલન સ્થળ છોડીને પાછા ઘરે ચાલ્યા જાય.