નવા કૃષિ બિલ વિરૂદ્ધ કેટલાક રાજ્યના ખેડૂતો અને વિપક્ષી પાર્ટીઓ સતત પ્રદર્શન કરી રહી છે. તેમના નિશાને મોદી સરકાર છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ કૃષિ બિલોથી ખેડૂતો અને મજૂરોને ખતમ કરવા કરી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગાંધીનગર ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસ પર પલટવાર કર્યા હતા. તો હાથરસ કાંડ પર વધુ કંઇ બોલવા પર ના ભણી.
ગાંધીનગરમાં કમલમ ખાતે સ્મૃતિ ઇરાનીની પત્રકાર પરિષદ
કૃષિ બીલ મુદ્દે સ્મૃતિ ઇરાનીએ આપ્યું નિવેદન
ખેડૂતોને પાકની રકમ ચૂકવણી તાત્કાલિક મળશે, વધુમાં વધુ ત્રણ દિવસની અંદરઃ સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સાથે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, ખેડૂતોને વચેટિયાઓથી આઝાદ થતા જોઇને કોંગ્રેસનું નેતૃત્વ હચમચી ઉઠ્યું કારણ કે વર્ષો સુધી ખેડૂતોને વચેટિયાઓ સાથે બાંધીને કોંગ્રેસની રાજનીતિ ચાલતી રહી. કાયદા અનુસાર, ખેડૂતોને પાકની રકમ ચૂકવણી તાત્કાલિક મળશે, વધુમાં વધુ ત્રણ દિવસની અંદર.
તેમણે કહ્યું કે, દેશના નાગરિક બધુ જાણે છે કે કોંગ્રેસ જે પ્રમુખ પરિવારના પ્રમુખ સભ્યોએ જીવનભર ખેડૂતોની જમીન લૂંટી હોય તે પરિવાર કેમ ઇચ્છે કે ખેડૂતોની જમીન સુરક્ષિત રહે...કોંગ્રેસ પાર્ટીએ તે લોકોનું સમર્થન કર્યું જેમણે દેશના ઉપરાષ્ટ્રપતિ પદ પર હુમલો કર્યો.
હાથરસમાં જે થયું તે નિંદનીય, યોગી સરકારે તપાસના આદેશ આપ્યા છે: સ્મૃતિ ઈરાની
આ દરમિયાન સ્મૃતિ ઈરાનીને હાથરસ કાંડ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાથરસમાં જે ઘટના બની તે નિંદનીય છે. આ ઘટના પર યોગી સરકારે CBIને તપાસના આદેશ આપ્યા છે અને SITની રચના પણ કરવામાં આવી છે. આ ઘટનામાં આ પ્રકારે રાજકારણ યોગ્ય નહીં. કેસમાં તપાસ ચાલી રહી છે અને આ ઘટના બર કંઇપણ બોલવું અયોગ્ય છે. SITના રિપોર્ટના આધારે જે પણ અધિકારી જવાબદાર હશે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, નિર્ભયાકાંડ વખતે સ્મૃતિ ઈરાનીએ મનમોહન સિંહને બંગડી મોકલી હતી.
ખેડૂતો અને મજૂરોને મોદી સરકાર ખતમ કરી રહી છેઃ રાહુલ ગાંધી
આ પહેલા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ કૃષિ બિલોથી ખેડૂતો અને મજૂરોને એવી રીતે ખતમ કરી રહ્યા છે જેવી રીતે તેમણે નોટબંધી અને જીએસટીથી નાના દુકાનદારોને બરબાદ કર્યા હતા. રાહુલે અહીં એક સભા સંબોધિત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે આ મહામારીના સમયમાં પણ કાયદો લાવવાની શું જલ્દી હતી.
જણાવી દઇએ કે, ખેડૂતોને આશા છે કે કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહેલા કૃષિ સુધારથી ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP)ને સમાપ્ત કરવાનો રસ્તો સાફ થશે અને તેઓ મોટી કંપનીઓની દયા પર આશ્રિત રહી જશે. જોકે, સરકારનું કહેવું છે કે, MSP પ્રણાલીમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે.