સીતારમણે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા શરૂઆત કરી. એમણે કહ્યું કે સાચુ ભારત ગામડામાં વસે છે. અને ગામ અને ખેડૂત તેમની તમામ યોજનાનું કેદ્ર બિંદુ હશે. ખેડુતોનું જીવન અને વ્યવસાય સરળ બનાવવા માટે કામ કરવામાં આવશે. સીતારમણે કહ્યું કે સરકાર કૃષિ સરંચનામાં રોકાણ કરશે. એમણે કહ્યું કે, આઝાદીની 75મી વર્ષગાંઠ સુધી ખેડુતની આવક બે ગણી કરવાની કોશિશ કરાશે.
2024 સુધીમાં ગામના તમામ ઘરે પાણી પહોંચાડાશે
એમણે કહ્યું કે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર કામ કરવામાં આવશે. કૃષિ ઉત્પાદન સાથે જોડાયેલા કામોમાં પ્રાઇવેટ આંત્રપ્રન્યોરશિપને પ્રોત્સાહન આપવામાં આવશે. સીતારમણે કહ્યું કે 2024 સુધી ગામના તમામ ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. તેમા દરેક ઘરમાં ટાંકી પહોંચાડવામાં આવશે. એમણે બતાવ્યું કે આ કામ જળ જીવન મિશન હેઠળ કરવામાં આવશે. તેમા દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાની કોશિશ કરવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું કે વડાપ્રધાન આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 2019-20 થી 2021-2022 સુધી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને 1.95 કરોડ મકાન ફાળવાશે. તેમા રસોઇ ગેસ, વીજળી અને શૌચાલય જેવી સુવિધા હશે. સીતારમણે બતાવ્યું કે પહેલા આવાસોને બનાવવા માટે જ્યાં 314 દિવસ લાગતા હતા. હવે 114 દિવસ લાગે છે.
1.25 હજાર કિમી રસ્તાઓ માટે 80,250 કરોડ ફાળવાયા
ગ્રામ સડક યોજના પર નાણામંત્રીએ કહ્યું કે યોજનાનું 97 ટકા લક્ષ્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. એમણે બતાવ્યું કે આવતા વર્ષે 1,25000 કિલોમીટર રોડ બનાવવા માટે 80,250 કરોડ રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી બનેલી ગામડાના રસ્તાઓનો 30000 કિલોમીટર ભાગ ગ્રીન ટેક્નોલોજીથી બન્યો છે. તેમા વેસ્ટ પ્લાસ્ટિક અને કોલ મિક્સ્ડ ટેક્નોલોજીથી કાર્બન ફુટપ્રિન્ટને ઓછુ કરવામાં આવશે.
2022 સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને વીજલી કનેક્શન
સીતારમણને ઉજ્જવલા યોજના હેઠળ ગામમાં મળનાર એલપીજી કનેક્શન, વીજળીની સુવિધાનો ઉલ્લેખ કર્યો. કહ્યું કે, 2022 સુધી ગામના તમામ પરિવારને વીજળી અને એલપીજી ગેસની સુવિધા આપવામાં આવશે. સીતારમણે કહ્યું કે જે લોકો કનેક્શન નહીં લેવા ઇચ્છતા, તેમને છોડીને 2022 સુધીમાં પ્રત્યેક ગ્રામીણ પરિવારમાં વીજળી કનેક્શન અને સ્વચ્છ ઇંધણ આધારિત રસોઇ આપવામાં આવશે.
આવતા 5 વર્ષમાં 10000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવાશે
સીતારમણે જાહેરાત કરી કે, આવતા 5 વર્ષમાં 10000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવાશે. 2019-20 દરમિયાન 100 નવા વાંસ, મધ અને ખાદી ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે. એવા ઉદ્યોગોમાં કૌશલ વિકાસ માટે 80 આજીવીકા બિજનેસ ઇક્યૂબેટર સ્થાપિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ મત્ય્સિકી માળખાની સ્થાપના કરાવામાં આવશે.