છેલ્લા ઘણા સમયથી પાક વીમા અને ખેડૂતોની દેવામાફીને લઈને ધમાસાણ મચ્યું છે.. ખેડૂતોની સાથે સાથે કેટલાક નેતાઓ પણ માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે.. સરકારને રજૂઆતો કરી રહ્યા છે.. ત્યારે આ મુદ્દે કૃષિમંત્રી આર.સી.ફળદૂએ મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.. કૃષિમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને સરકારે ગત વર્ષે રૂ.2200 કરોડનો વીમો આપવામાં આવ્યો છે.. બીજી તરફ ખેડૂતોના પાકને સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવી રહ્યો છે.. સરકાર કોઈ દેવામાફી નહીં આપે..આવું કરીને સરકાર ખેડૂતોને કંગાળ કરવા નથી માગતી..