કેન્દ્ર સરકાર દ્વારા નવા કૃષિ કાયદાઓને આખરે રદ કરી દેવામાં આવ્યા છે. જોકે આ પહેલી વખત નથી બન્યું કે સરકાર બેકફુટ પર ગઈ હોય. અગાઉ સરકાર દ્વારા ભૂમી અધિગ્રહણ કાયદો પણ રદ કરવામાં આવ્યો હતો,
કૃષિ કયદાઓ આખરે કેન્દ્ર દ્વારા રદ કરવામાં આવ્યા
એક વર્ષથી ચાલી રહેલા આંદોલનમાં ખેડૂતો સફળ રહ્યા
અગાઉ આ રીતે ભૂમિ અધિગ્રહણ કાયદો પણ રદ થયો હતો
કૃષિ કાયદાઓની ખેડૂતો જે આંદોલન ચલાવી રહ્યા હતા તેમા તેઓ સફળ રહ્યા છે અને કેન્દ્ર સરકારને આખરે નમવાનો વારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાનું એલાન કરી દેવામાં આવ્યું છે. સાથે કેન્દ્ર સરકાર દાવારા ભૂમિ અધિગ્રહણ કાયદો પણ પરત લઈ લેવામાં આવ્યો છે.
બે વર્ષ કાયદો સસ્પેન્ડ કરવાની વાત કરી હતી
રાકેશ ટિકૈતના નેતૃ્ત્વમાં ખેડૂતો ત્રણેય નવા કૃષિ કાયદાઓને પરત લેવાની માગ સાથે આંદોલન કરી રહ્યા ઙતા. છેલ્લા એક વર્ષથી આ આંદોલન ચાલી રહ્યું હતું. કેન્દ્ર સરકારે ખેડૂતોની ચિંતાને લઈને કાયદા પર સંશોધનની વાત કરી હતી. સાથેજ બે વર્ષ માટે કાયદો સસ્પેન્ડ કરવાની પણ વાત કરી હતી. જોકે તેમ છતા પણ ખેડૂતોનું આંદોલન સમાપ્ત નહોતી થઈ રહ્યું. આ વાતનો વડાપ્રધાન મોદીએ પોતેજ ઉલ્લેખ કર્યો છે.
ભૂમિ અધિગ્રહણમાં પણ સરકાર બેકફુટ પર ગઈ હતી
આપને જણાવી દઈએ કે આ પહેલી વખત નથી બન્યું કે સરકાર બેક ફુટ પર ગઈ હોય. અગાઉ પણ ભૂમિ અધિગ્રહણ અધ્યાદેશ મોદી સરકાર દ્વારા પરત લેવામાં આવ્યા હતા. તે સમયે તો PM મોદીએ શપથ લીધે થોડોકજ સમય થયો હતો તે વખતે આ બન્યું હતું.
31 ઓગસ્ટ 2015ના ભૂમિ અધિગ્રહણ કાયદો પરત ખેંચાયો હતો
આપને જણાવી દઈએ કે PM મોદીએ શપથ લીધા ત્યારબાદ કેન્દ્રએ ભૂમિ અધિગ્રહણ અધ્યાદેશ બનાવ્યા હતા. જમીન અધિગ્રહણ માટે 80 ટકા ખેડૂતોની સહમતી હોવી જરૂરી હતી. જોકે નવા કાયદામાં ખેડૂતોની સંમતિને પ્રાવધાન આપવામાંજ નહોતું આપ્યું જેના કારણે ખેડૂતો વિરોધ કર્યો હતો જેથી મોજી સરકારે 31 ઓગસ્ટ 2015ના રોજ તે કાયજો પણ પરત ખેચ્યો હતો.
કાયદો હટાવ્યા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'શાનદાર સમાચાર! ગુરુનાનક જયંતીના શુભ અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા બદલ PM નરેન્દ્ર મોદીજીનો આભાર. મને ખાતરી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે કામ કરતી રહેશે!
કોંગ્રેસે ખેડૂતોની જીત ગણાવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ કોંગ્રેસે સમગ્ર ઘટનાને ખેડૂતોની જીત ગણાવી હતી. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, તૂટી ગયું અભિયાન, જીતી ગયા મારા દેશના ખેડૂત. તો કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ સરકાર પર નિશાન શાધ્યું હતું અને કહ્યું કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવી દીધું. અન્યાય વિરૂદ્ધની આ જીત મુબારક હો! જય હિંદ, જય હિંદ કા કિસાન!
આગામી સંસદ સત્રમાં કાયદા પરત લેવાની કરી જાહેરાત
PM મોદીએ કહ્યું કે, આગામી સંસદ સત્રમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે એક સમિતિની રચના કરશે. તેમણે કહ્યું કે અમારા પ્રયાસો છતાં અમારી સરકાર ખેડૂતોના વિરોધને સમજી શકી નથી. હું દેશવાસીઓની માફી માંગુ છું કે અમારા પોતાના પ્રયાસોમાં થોડીક ઉણપ રહી હશે. પીએમએ વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું કે ગુરપુરબના અવસર પર તમે તમારા ઘર અને ખેતરમાં પાછા ફરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના મહાન અભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળવી જોઈએ અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા જોઈએ. વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ. દેશના ખૂણે ખૂણે, વિવિધ ખેડૂત સંગઠનોએ સ્વાગત કર્યું અને ટેકો આપ્યો. આજે તેમના સમર્થન માટે હું તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.