કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સીમાઓ પર ખેડૂતો સતત વિરોધ કરીને આજે ભૂખ હડતાળ પર છે. આંદોલનને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ ઉકેલ આવ્યો નથી, એવામાં આજે એક દિવસીય ભૂખ હડતાળ કરાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઉપવાસ કરીને તેમનો સાથ આપ્યો છે. બીજી બાજુ હવે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીએ કહ્યું છે ખેડૂતો જીદ પર અડ્યાં રહેશે તો સમાધાન નહીં આવી જાય. આ બાજુ હરિયાણાના કબડ્ડીના ખેલાડીઓએ ખેડૂતોના સમર્થનમાં અર્જુન એવોર્ડ પરત આપવાની પણ ચીમકી આપી છે.
કૃષિ કાયદા સામે વિરોધ
19માં દિવસે આંદોલન પહોંચ્યું
1 દિવસના પ્રતિક ઉપવાસ કરશે
કેજરીવાલ પણ કરશે ઉપવાસ
LIVE UPDATES :
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, ખેડૂતોને મોકલ્યો લેખિત પ્રસ્તાવ, હવે તેમના જવાબની રાહ
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, ખેડૂતોને લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો, હવે તેમના જવાબની રાહ છે. કૃષિ મંત્રી કહ્યું કે, ખેડૂતો સાથે વાતચીતની આગામી તારીખ નક્કી કરવા માટે સરકાર તેમના સંપર્કમાં છે.
ઉગ્ર આંદોલન વચ્ચે ખેડૂતોએ સામાન્ય લોકોથી માંગી માફી : કહ્યું મજબૂરી સમજો, હક માટે ધરણાં
કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજે સામાન્ય જનતા માટે માફીનામું બહાર પાડ્યું છે. નોંધનીય છે કે આંદોલનના કારણે ઘણા બધા સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે તે મુશ્કેલીને જોતા સંયુક્ત કિસાન મોરચાએ એક માફીનામુ બહાર પાડ્યું છે જેમાં સામાન્ય લોકોને થઇ રહેલ તકલીફ પર માફી માંગવામાં આવી છે અને લોકોને એવો ભરોસો અપાવવામાં આવ્યો કે કોઈ દર્દી અથવા અન્ય જરૂરીયાતમંદ વ્યક્તિને કોઈ જ તકલીફ નહીં થાય અને આવી કોઈ તકલીફ હોય તો સંપર્ક કરવામાં આવે.
રાજનાથસિંહનું નિવેદન
કૃષિ કાયદાના વિરોધ પ્રદર્શન વચ્ચે સરકાર ખેડૂતોને મનાવવામાં લાગી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે કૃષિ એક એવો સેક્ટર છે જે મહામારીમાં પણ દુષ્પરિણામોથી બચવામાં સક્ષમ રહ્યું. આપનું ઉત્પાદન અને ખરીદી ભરપૂર છે અને મોટા મોટા ગોડાઉન ભરેલા છે.
જીદ પર અડી રહેવાથી સમાધાન નહીં આવે : કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ કહ્યું કે, 'કોઈ પણ કાર્ય અથવા આંદોલનને લઈને જીદ પર અડી રહેવાથી સમાધાન થતું નથી. સમાધાન નિશ્ચિત પણે મળીને વાત કરવાથી જ આવે છે. હું ખેડૂતોને વિનંતી કરીશ કે ભારત સરકાર તમારી સાથે બેસવા માટે તૈયાર છે અને આ સમસ્યાનો ઉકેલ વાતચીતથી લાવવામાં આવે.
GOMની બેઠક થઈ પૂર્ણ
કૃષિ બાબતો પર 'ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ' (GOM) ની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ, દિલ્હીની બોર્ડર પર ખેડૂતોના ઉપવાસ ચાલુ છે.
અર્જુન એવોર્ડ પાછા આપવાની ચીમકી
ઉલ્લેખનીય છે કે હરિયાણા એક કૃષિ રાજ્ય છે, તેવી જ રીતે વિશ્વમાં અહીંના લાલાઓનું નામ પણ રમતગમતમાં છે. આમાંના મોટાભાગના ખેડુતો પરિવારોમાંથી આવે છે. આ જ કારણ છે કે હવે આ અર્જુન અવોર્ડીઓએ ખેડૂતોના સારથિ બનવાનું નક્કી કર્યુ છે. ભારતીય કબડ્ડી ટીમના કોચ અર્જુન એવોર્ડી અસન સાંગવાન સૌપ્રથમ સામે આવ્યાં છે.
કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતોનો રથ હવે ડઝન જેટલા અર્જુન એવોર્ડી સંભાળશે. ભારતીય કબડ્ડી ટીમના કોચે ભિવાનીમાં જાહેરાત કરી હતી કે, જો સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો તેઓ ખેડૂતોના સમર્થનમાં તેમનો અર્જુન એવોર્ડ પાછો આપશે.
આંદોલનને લઈને આજે પણ બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.કૃષિમંત્રી તોમરે આજે ફરીથી ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી છે ત્યારે હાલમાં જ હરિયાણાના ઉપમુખ્યમંત્રી નીતિન ગડકરીને મળવા પહોંચ્યા છે.
ભાજપ નેતાનું મોટું નિવેદન
જયપુરમાં ભાજપ નેતા અરુણ સિંહે મોટું નિવેદન આપ્યું કે ખેડૂતોના પ્રદર્શનમાં એક ટકા પણ ખેડૂત સામેલ નથી, ખેડૂતો ભોળા છે પણ તેમની સાથે ટુકડે-ટુકડે ગેંગના લોકો ઘુસી ગયા છે જેના વિશે વાત કરવી આવશ્યક છે.
ખેડૂતોની મોટી બેઠક
ખેડૂતો આજે ભૂખ હડતાળ કરી રહ્યા છે આજે સાંજે ગાઝીપુર અને અન્ય બોર્ડરના ખેડૂતો બેઠક કરશે ને તે બાદ સિંઘુ બોર્ડર પર બધા જ સંગઠનો એકત્રિત થશે અને આગળની રણનીતિ પર ચર્ચા કરશે. આંદોલનને લઈને આ બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
મોદી સરકારના મંત્રીઓની મોટી બેઠક
થોડીવારમાં કૃષિ કાયદા અને વિરોધ મામલે મોદી સરકારના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક થશે જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે અને તે સિવાયના મંત્રીઓ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. મીડિયા અહેવાલો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર સિંહ તોમર સાથે ફરીથી અમિત શાહ અલગથી ચર્ચા પણ કરી શકે છે.
આરોપ પ્રત્યારોપની કવાયત ચાલુ
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આરોપ લગાવ્યો કે AAP ના પંજાબ ચૂંટણીમાં એપીએમસી એક્ટમાં બદલાવની વાત કહેવામાં આવી હતી. હવે કૃષિ કાયદાનો વિરોધ કરી રહી છે.
.@ArvindKejriwal this is your hypocrisy. You promised amendment to APMC Act in Punjab assembly elections. You notified one farm law in Delhi in November 2020 and you are on fast today. Nothing but hypocrisy.@AamAadmiParty@BJP4India
દેશના અલગ અલગ ભાગોમાં ખેડૂતોની ભૂખ હડતાળ શરૂ થઈ છે. રાજસ્થાનના શાહજહાંપુરમાં મોટી સંખ્યામાં ખેડૂતો સીમા પર આંદોલન કરી રહ્યા છે અને ભૂખ હડતાળ પર છે. દિલ્હીમાં સિંધુ, ટીકરી, ગાઝીપુર સીમા પર ખેડૂતોના ધરણા ચાલી રહ્યા છે. ખેડૂતોની તરફથી સડક જામ કરવામાં આવી રહી છે અને સાથે જ ભાજપના નેતાઓને ઘેરવાનો પ્લાન પણ છે.
Delhi: Farmers' leaders including Rakesh Tikait of Bharatiya Kisan Union sit on a hunger strike from 8 am-5 pm at Ghazipur (Delhi-UP border), where the protest entered day 17 today. pic.twitter.com/I2Zkdhxvav
જે જ્યાં છે ત્યાં જ ઉપવાસ કરે. ઉપવાસ પવિત્ર હોય છે. આપણા ખેડૂત ભાઈઓ માટે ઉપવાસ કરો. પ્રભૂ પાસે તેમના સંઘર્ષની સફળતા માટે પ્રાર્થના કરો. અંતમાં ખેડૂતોની જીત થશે.
उपवास पवित्र होता है। आप जहां हैं, वहीं हमारे किसान भाइयों के लिए उपवास कीजिए। प्रभु से उनके संघर्ष की सफलता की प्रार्थना कीजिए। अंत में किसानों की अवश्य जीत होगी।
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સોમવારે એટલે કે આજે ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે. તેઓએ સરકારને અહંકાર છોડીને આંદોલનકારી ખેડૂતોની માંગના અનુસાર 2 કૃષિ કાયદાને રદ્દ કરવાની અપીલ કરી છે.
कल सारे संगठनों के मुखिया सुबह 8 बजे से शाम पांच बजे तक एक दिन के लिए भूख हड़ताल रखेंगे: सिंघु बॉर्डर से किसान नेता गुरनाम सिंह चढूनी pic.twitter.com/0WryXbGMFH
સિંધુ અને ટિકરી બોર્ડર પર છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા આંદોલનને લઈને પંજાબ અને અન્ય રાજ્યોથી ખેડૂતો આવી રહ્યા છે. આ સમયે સરકાર તરફથી જલ્દી નવી તારીખ આવે તેવી શક્યતાઓ કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ જણાવી છે. ખેડૂત નેતાઓ આજે સવારે 8 વાગ્યાથી ભૂખ હડતાળ શરૂ કરશે. આ હડતાળ સાંજે 5 વાગ્યા સુધી કાયમ રહેશે. આજે સિંધુ, ટિકરી, પલવલ, ગાજીપુર બોર્ડર પર ખેડૂત નેતાઓના ઉપવાસ યોજાશે. ખેડૂતોની એક જ માંગ છે કે 3 કાયદાને પરત લેવામાં આવે. ખેડૂતોના આંદોલનને પગલે હાલ પોલીસ અને CRPFને તૈનાત કરાઈ છે.
Delhi: Farmers' leaders sit on hunger strike at Tikri border as their protest against Centre's farm laws enters 19th day.
"Centre is being stubborn about our demands. This is an attempt to wake them up," says Balkaran Singh Brar, Working President, All India Kisan Sabha, Punjab pic.twitter.com/KY7mgGwJiT
સરકાર સાથે કેટલાક સમૂહની સાંઠગાંઠઃ ગુરનામ સિંહ ચઢૂની
પ્રદર્શનકારી ખેડૂતોના એક સમૂહે મોડી રાતે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને તોમરની સાથે બેઠક બાદ ચિલ્લાની તરફથી નોઈડા દિલ્હી રોડ ખોલી દીધો છે. તેઓએ કહ્યું કે કેટલાક સમૂહ પ્રદર્શન પૂરું કરી રહ્યા છે અને કહેવ છે કે સરકારના કાયદાના પક્ષમાં છે. તેમની સરકાર સાથે સાંઠગાંઠ છે. તેઓએ આંદોલનને નબળું બનાવી રહ્યા છે. અને ખેડૂતો સાથે દગો કરી રહ્યા છે.
कृषि के तीनों क़ानूनों का समर्थन करने वाले किसानों को मैं धन्यवाद देना चाहता हूं। मैं आंदोलनकारी किसानों से आग्रह करता हूं कि इसका रास्ता बातचीत से ही निकलने वाला है: केन्द्रीय कृषि एवं किसान कल्याण राज्यमंत्री कैलाश चौधरी https://t.co/4oJ42gw2Axpic.twitter.com/hhYsqtZt4I
કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિપક્ષ પર દુષ્પ્રચારનો કર્યો આરોપ
મંત્રીએ કહ્યું કે નવા કૃષિ કાયદાને લઈને થોડા સમય માટે મુશ્કેલી આવી શકે છે પણ લાંબા સમય માટે ખેડૂતો માટે ફાયદારૂપ હોઈ શકે છે. આંદોલન ખતમ કરવા માટે 40 પ્રદર્શનકારી ખેડૂત નેતાઓ સાથે વાત ચાલી રહી છે.