કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના પ્રદર્શનનો આજે 23મો દિવસ છે ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના નામે 8 પાનાનો પત્ર લખ્યો છે અને પીએમ મોદીએ ટ્વિટ કરીને ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ આ પત્રને બરોબર વાંચે.
દેશમાં કૃષિ આંદોલનનો 23મો દિવસ
કૃષિ મંત્રીએ ખેડૂતોને આપ્યા 8 આશ્વાસન
PM મોદીએ કહ્યું દરેક ખેડૂતો તેને વાંચે
કૃષિ મંત્રી @nstomar એ ખેડૂત ભાઈ બહેનોને પત્ર લખીને વિનમ્ર સંવાદ કરવાની કોશિશ કરી છે. તેમાં તેઓએ કહ્યું છે કે તમામ અન્નદાતાઓ તેને વાંચે અને તેને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડે. તેઓએ કહ્યું કે જે ખેડૂતો સીમાઓ પર પર્દર્શન કરી રહ્યા છે તેમને આગ્રહ છે કે રાજનીતીથી દૂર રહે અને ફેલાવવામાં આવતા ભ્રમથી બચો. સરકાર અને ખેડૂત વચ્ચે એક દિવાલ ઊભી કરાઈ છે તેને તોડો અને સાથે તોમરે દાવો કર્યો કે 3 કૃષિ કાયદામાં સુધાર કાયદા ભારતીય કૃષિમાં નવા અધ્યાયની શરૂઆત કરશે. ખેડૂતો સ્વતંત્ર અને સશક્ત બનશે.
कृषि मंत्री @nstomar जी ने किसान भाई-बहनों को पत्र लिखकर अपनी भावनाएं प्रकट की हैं, एक विनम्र संवाद करने का प्रयास किया है। सभी अन्नदाताओं से मेरा आग्रह है कि वे इसे जरूर पढ़ें। देशवासियों से भी आग्रह है कि वे इसे ज्यादा से ज्यादा लोगों तक पहुंचाएं। https://t.co/9B4d5pyUF1
કૃષિ કાયદાને ઐતિહાસિક ગણાવતાં તોમરે કહ્યું કે તેમની અનેક રાજ્યોના ખેડૂતો સાથે વાત થી અને ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું છે. તેઓ ખુશ છે અને તેમને એક નવી આશાનો અહેસાસ થયો છે. દેશના અલગ અલગ ખેડૂતોના ઉદાહરણ પણ મળ્યા છે જેઓએ નવા કાયદાનો લાભ લેવાનું શરૂ કરી દીધુ છે. તોમરે કહ્યું કે કૃષિ મંત્રી હોવાના કારણે મારું કર્તવ્ય છે કે હું દરેક ખેડૂતનો ભ્રમ દૂર કરું. મારું દાયિત્વ છે કે સરકાર અને ખેડૂતની વચ્ચે દિલ્હી અને આસપાસની જૂઠાણાની દિવાલને હટાવી સચ્ચાઈ ખેડૂતો સુધી પહોંચાડું.
કૃષિ મંત્રી તોમરે આપ્યા 8 આશ્વાસન
- ખેડૂતોની જમીનને કોઈ ખતરો નહીં રહે, માલિકી હક તેમનો રહેશે.
- ખેડૂતોને નક્કી સમયે વળતર અપાશે.
- નક્કી સમયે વળતર નહીં મળતા દંડ કરાશે.
- ખુલ્લા બજારમાં સારા રૂપિયા પર પાક વેચવાનો વિકલ્પ પણ મળશે.
- MSP ચાલુ છે અને ચાલુ રહેશે.
- મંડિઓ ચાલુ છે અને ચાલુ રહેશે.
- સોદા પાક માટે થશે, જમીન માટે નહીં, ખેડૂતો ઈચ્છે ત્યારે તેને ખતમ કરી શકે છે.
- APMC મંડી કાયદાથી બહાર રહેશે.
તોમરે કહ્યું કે આ પત્રની મદદથી હું ખેડૂતોને હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ ખોટી વાતોમાં ન આવો અને તથ્યોના આધારે વિચાર કરો. તમારી દરેક શંકાને દૂર કરવી અને તેનો જવાબ આપવો સરકારની જવાબદારી છે. અમે આ દાયિત્વથી હટીશું નહીં.