અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી દિવસોમાં ભારત પ્રવાસે આવવાના છે. ત્યારે તેમના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ અમદાવદ ઉપરાંત આગ્રા (તાજમહેલ), દિલ્હી અને ઉત્તરપ્રદેશ પણ જવાના છે.
ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવશે
25 ફેબ્રુઆરીએ તાજમહેલની મુલાકાત લેશે
નગરપાલિકાએ તાજમહેલની આસપાસની દીવાલોનું રંગ રોગાન કરવાનું શરુ કરી દીધું છે
અમેરિકા (US)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ સાંજે તાજમહેલ જોવા માટે આગ્રા જશે. તે માટે હાલ આગ્રામાં તમામ વ્યવસ્થાની તૈયારીઓ થવા લાગી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તે ગુજરાત, દિલ્હી અને ઉત્તરપ્રદેશ પણ જવાના છે. શહેર પણ સ્વાગત સત્કારની તૈયારી કરવા લાગી છે. ટ્રમ્પ પ્રથમ વખત તાજમહેલના દર્શન કરશે. નગરપાલિકાએ તાજમહેલની આસપાસની દીવાલોનું રંગ રોગાન કરવાનું શરુ કરી દીધું છે. જ્યારે મશીનોથી રોડ રસ્તાઓ પણ સાફ કરવામાં આવી રહ્યાં છે. રસ્તાઓમાં આવતી મૂર્તિઓને પણ સાફ કરવામાં આવી રહી છે. તમને ન ખબર હોય તો જણાવી દઈએ કે ટ્રમ્પનો તાજમહેલ નામે અમેરિકામાં કેસીનો પણ છે.
5000 સુરક્ષાકર્મીઓ સેવામાં હાજર રહેશે
રીપોર્ટસ અનુસાર જાણવા મળ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કલાકૃતિ ઓડીટેરીયમમાં 'મોહબ્બત-ધ-તાજ' કાર્યક્રમ પણ નિહાળશે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે 5000 સુરક્ષાકર્મીઓ હાજર રહેશે. અમેરિકાની એડવાન્સ સિક્યુરીટી ટીમ જાન્યુઆરીમાં તાજમહેલ અને તેમની આસપાસના વિસ્તારમાં આવી ફરી ગઈ છે. સિક્યુરીટી ટીમ સાથે 40 અધિકારીઓ તાજમહેલ ફર્યા હતાં.
ઓબામાએ તાજમહેલની મુલાકાત રદ્દ કરી હતી
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2015માં તાજમહેલની યાત્રા સુરક્ષાના અમુક કારણોસર રદ્દ કરી હતી. કારણકે તાજમહેલના 500 મીટરના અંતરમાં બેટરીથી ચાલનારા વાહનોને જ અનુમતિ છે. જણાવી દઈએ કે આ માટે જ ઓબામાએ તાજમહેલની સુરક્ષા રદ્દ કરી હતી. આ વખતે ટ્રમ્પના કાફલાને તાજમહેલ સુધી બીસ્ટ કારમાં જવાની અનુમતિ નહીં આપવામાં આવે તો તે બેટરીથી ચાલનારી કારમાં જશે. અમેરિકાના અશીકારીઓએ સોમવારે ત્યાંના સ્થાનીય અધિકારીઓ સાથે જઈ તાજમહેલની સુરક્ષાની તપાસ કરી હતી.
25 ફેબ્રુઆરીએ ટ્રમ્પ આવશે
ઉત્તરપ્રદેશના એક વરિષ્ઠ અધિકારીએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે ટ્રમ્પ 24 અને 25 તારીખે ભારત પ્રવાસે આવશે. અને તે લઘભગ 25 ફેબ્રુઆરીએ તાજમહેલની મુલાકાતે જશે. કારણકે 24 ફેબ્રુઆરીએ તેમનો અમદાવાદમાં કાર્યક્રમ છે. જ્યારે 18 ફેબ્રુઆરીથી તાજ મહોત્સવ પણ શરુ થઈ જશે અને 27 ફેબ્રુઆરી સુધી ચાલશે.