પત્ની પતિ પાસેથી પુરો પગાર માગતી હતી, તેને અને પરિવારના લોકોને કાયમ જેલમાં મોકલી દેવાની ધમકી આપતી હતી. જો કે, કોર્ટ તરફથી પત્નીને મોટો ફટકો પડ્યો છે.
પતિ-પત્નીના કેસમાં કોર્ટે આપ્યો આ આદેશ
પત્ની પતિનો પુરો પગાર માગતી, દહેજનો પણ ખોટો કેસ કર્યો
પતિને કેટલીય વાર જેલમાં પણ મોકલ્યો
પત્ની પતિ પાસેથી પુરો પગાર માગતી હતી, તેને અને પરિવારના લોકોને કાયમ જેલમાં મોકલી દેવાની ધમકી આપતી હતી. ઘણા પ્રયત્નો બાદ પણ પત્નીના વ્યવહારમાં કોઈ ફેરફાર થયો નહીં, તો પતિએ કોર્ટમાં અરજી દાખલ કરી. અપર મુખ્ય ન્યાયાધીશ પતિની અરજીનો સ્વિકાર કરતા વિવાહને તોડવાનો આદેશ આપતા પત્નીને સ્થાયી જીવન જીવવા માટે એક લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.
આગરાના જગદીશપુરમાં રહેતા અમિતે કોર્ટમાં હિન્દુ વિવાહ અધિનિયમની કલમ 13 અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. જે અનુસાર તેમના લગ્ન જૂન 2009માં સુનીતા નિવાસી જસરાના ફિરોઝાબાદ સાથે થયા હતા. પતિનું કહેવુ હતું કે, તેમણે સામેના પક્ષની તમામ જરૂરિયાતો પુરી કરી છે. તેમ છતાં પણ પત્નીનો વ્યવહાર તેના પરિવાર પ્રત્યે દુર્ભાવના પૂર્ણ અને ક્રૂરતા પૂર્ણ રહ્યો છે. તેમના વાદી પર પુરો પગાર આપવા અને અલગ રહેવાનું દબાણ બનાવ્યું હતું.
દહેજનો કેસ કરી જેલમાં મોકલી ચુકી છે પત્ની
તેના માટે પત્નીના વાદી તથા તેમના સ્વજન સાથે અભદ્રતા પૂર્વક વ્યવહાર કરીને ખોટા કેસમાં જેલમાં મોકલવાની ધમકી આપી. પિયરવાળાએ પણ પત્નીનો પક્ષ લીધો. પતિનો આરોપ હતો કે, 20 જૂલાઈ 2010ના રોજ પત્નીએ દિવાલમાં માથુ માર્યું, છત પરથી કૂદી જવાનો પ્રયત્ન કર્યો. તે 29 જૂલાઈના રોજ ઘરેણા અને કપડા લઈને પિયરમાં જતી રહી હતી.
વાદી વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ કરાવી તેને જેલમાં પણ મોકલી દીધો છે. વાદીની અરજીને સ્વિકાર કરતા તેના વકીલ શેલેન્દ્ર પાલ સિંહ તથા શુભમ પાલ સિંહે તર્કના આધારે મુખ્ય ન્યાયાધીશ સાક્ષી શર્માએ છૂટાછેડાનો આદેશ આપ્યો હતો.
પત્નીએ પ્રેમી સાથે લગ્ન કરી લીધા, પતિએ કોર્ટમાં હાજર કરી
પત્નીએ પતિને છોડી પ્રેમી સાથે લગ્ન કરી લીધા. આ મામલામાં પતિએ પત્ની તથા તેના સ્વજન વિરુદ્ધ છેતરપીંડી કરવાના કેસમાં કોર્ટમાં હાજર કરી. કોર્ટે આ કેસ પર વિચારણા કરી સ્વજનોને કોર્ટમાં હાજર કરવાના આદેશ આપ્યા હતા.
આ કેસમાં જૈતપુર નિવાસી સુરેશે અધિવક્તા નીરજ પાઠકના માધ્યમથી કેસ રજૂ કર્યો હતો. સુરેશના અનુસા તે સરકારી વિભાગમાં કર્મચારી છે. વર્ષ 2004માં તેની પત્નીનું મૃત્યુ થવા પર તેણે તાજગંજની રહેવાસી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. જેનાથી તેમને એક પુત્ર પણ હતો. પતિનો આરોપ છે કે, વર્ષ 2015-17માં પત્નીને કોઈ અન્ય સાથે સંબંધ થયો. વર્ષ 2019માં ધરેણાને એવું લઈને ચાલી ગઈ હતી. તેને છૂટાછેડા આપ્યા વિના લગ્ન કરી લીધા હતા. વાદીની અરજી પર કોર્ટે આરોપીઓને કોર્ટમાં હાજર કરવાના આદેશ આપ્યા હતા.