સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટેલિકોમ કંપની વોડાફોન અને આઈડિયા મોટી કટોકટીમાં ફસાયા છે. દર મહિને ભારે નુકસાન બાદ હવે ભારતમાં આઇડિયા-વોડાફોન માટે તેનું ઓપરેશન ચલાવવું વધુ મુશ્કેલ બન્યું છે. વોડાફોન આઇડિયાના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ પહેલેથી જ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ અથવા સરકાર તરફથી રાહત નહીં મળે તો કંપની પોતાનો વ્યવસાય બંધ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટેલિકોમ કંપની વોડાફોન અને આઈડિયા મોટી કટોકટીમાં ફસાયા છે. દર મહિને ભારે નુકસાન બાદ હવે ભારતમાં આઇડિયા-વોડાફોન માટે તેનું ઓપરેશન ચલાવવું વધુ મુશ્કેલ બન્યું છે.
તેથી જ કંપનીની બોર્ડ મીટિંગમાં આજે ભારતમાં કંપનીના ભાવિ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. લાઇવ મિન્ટના અહેવાલ મુજબ કંપની ડીઓટીની રકમ ચૂકવવાના અન્ય કયા વિકલ્પો ઉપલબ્ધ છે તે અંગે પણ કંપની નિર્ણય કરશે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2019માં વોડાફોન-આઇડિયાના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે, જો સરકાર નાણાકીય સહાય નહીં આપે તો કંપની બંધ થઇ જશે.
આઈડિયા-વોડાફોન મોટી મુશ્કેલીમાં ફસાયા છે
વોડાફોન-આઇડિયાની 53,000 કરોડની એજીઆર (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) બાકી છે. તે જ સમયે ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન કંપનીને કુલ 6,439 કરોડનું નુકસાન થયું છે. આ સતત છઠ્ઠા ક્વાર્ટરમાં છે જ્યારે કંપનીને નુકસાન થયું છે. આ સમાચાર પછી કંપનીનો શેર 20 ટકાથી વધુ ઘટ્યો છે.
હવે શું થશે?
વીએમ પોર્ટફોલિયોના રિસર્ચ હેડ વિવેક મિત્તલે કહ્યું છે કે 'વોડાફોન આઈડિયા પાસે હવે પૈસા નથી. આ રીતે તે NCLTમાં જઇ શકે છે કારણ કે તેઓએ ફરજીયાત 17 માર્ચે કેસની આગામી સુનાવણી પહેલાં લેણા ચૂકવવા પડશે. જો અરજી સ્વીકારવામાં આવે છે તો પછી નાદારી કાયદા હેઠળ બાકી ચૂકવણી માફ કરી દેવામાં આવશે.
શું છે કેસ?
એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના મામલે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને કોઈ રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે આ કંપનીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. 16 જાન્યુઆરીએ જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠે ટેલિકોમ કંપનીઓને સરકારને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ચુકવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટેલિકોમ કંપનીઓને સરકારને 1.47 લાખ કરોડ રૂપિયાની બાકી રકમ ન આપવા બદલ ઠપકો આપ્યો હતો અને આ તમામ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને બોલાવ્યા હતા કે તેઓને કહેવા છતાં બાકી લેણાં ચૂકવવાના આદેશનું પાલન કેમ કરવામાં આવ્યું નથી? કોર્ટે આ કંપનીઓને ઠપકો આપ્યો હતો અને 14 ફેબ્રુઆરીના અંત સુધીમાં 1.47 લાખ કરોડ રૂપિયા જમા કરવા જણાવ્યું હતું.
વિવેક કહે છે કે ટેલિકોમ કંપનીઓ માટે આ ખરાબ સમાચાર છે. આનાથી ખાસ કરીને વોડાફોન-આઇડિયાની સ્થિતિ નબળી પડી છે. તેમણે કહ્યું હતું કે ટેલિકોમ ક્ષેત્રમાં ફક્ત બે કંપનીઓનું જ અસ્તિત્વ રહેશે (Jio અને એરટેલ) એમ હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.
એરટેલની સ્થિતિ મજબૂત
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી એરટેલે કહ્યું કે તે 20 ફેબ્રુઆરી સુધી 10 હજાર રૂપિયા ચૂકવશે. એરટેલ પર 35000 હજાર કરોડનું લેણું છે. કોર્ટે તેની ચુકવણી માટે 17 માર્ચ સુધીનો સમય આપ્યો છે.
કુલ 1.47 લાખ કરોડમાંથી, 92642 કરોડ લાઇસન્સ ફી છે અને બાકીના 55054 કરોડ સ્પેક્ટ્રમ ચાર્જ છે.