દેશમાં સેનામાં ભરતી માટે પ્રક્રિયામાં બદલાવ કરવામાં આવ્યો છે. અપને વાત કરીએ તો અગ્નિવીર ભરતી પ્રક્રિયાની તો હવે ઉમેદવારોએ પ્રવેશ પરિક્ષમથી પસાર થવું પડશે.
કેવી હશે ભરતી પ્રક્રિયા
સેનામાં ભરતી માટે પ્રક્રિયામાં બદલાવ
દેશભરમાં 200 સ્થળ પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
પરિક્ષ માટે તમામ પ્રકારની તૈયારી પુરી કરી લેવામાં આવી
અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ભારતીય સેના દ્વારા ચેન્જ કરવામાં આવ્યો છે. અગ્નિવીર ભારતીમાં હવે નવી પ્રક્રિયામાંથી ઉમેદવારોએ પસાર થવું પડશે. જેમાં હવે ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામિનેશન (CEE) માટે ભારતીમાં બેસવા માંગતા ઉમદવારોએ હાજર રહેવું પડશે. આ પ્રવેશ પરીક્ષા બાદ શારીરિક તંદુરસ્તી કસોટીમાંથી ઉમેદવારોએ પાસ કરવી પડશે. આ બંને રાઉન્ડ પછી ઉમેદવારોનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે.
પહેલા કેવી હતી ભરતીની પ્રક્રિયા
ભારતીય સેના દ્વારા અગ્નિવીર માં ભરતી મેળવવા માટે પહેલા પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલા તો ઉમેદવારોએ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડતું હતું. ત્યારબાદ મેડિકલ પરીક્ષણ કરવામાં આવતું હતું અને છેલ્લે તમામ ઉમેદવારોએ CEE માટે ક્વોલિફાય થવાનું રહેતું હતું આમ જૂની પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ હતી.
વર્ષ 2023થી તમામ ઉમેદવારોએ નવી પ્રક્રિયામથી થવું પડશે પસાર
ભારતીય સેનાની અગ્નિવીર ભરતી માટે વર્ષ 2023થી તમામ ઉમેદવારોએ આ ફેરફાર કરવામાં આવેલી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2023માં ભરતી યોજાવાની છે જેમાં દેશભરમાં 200 સ્થળ પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્ષ માટે તમામ પ્રકારની તૈયારી પુરી કરી લેવામાં આવી છે.
ફેબ્રુઆરીથી કરી શકાશે અરજી
દેશભરમાં યોજવામાં આવતી આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જેમાં ફેબ્રુઆરીના મધ્યથી આગામી એક મહિના સુધી ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી શકાશે.
અરજી કઈ રીતે કરી શકાશે
જે ઉમેદવારોને કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તેઓ ભારતીય સેનાની વેબ સાઇટ પર જઈને વધુ વિગત મેળવી શકાય છે. જેમાં www.joinindianarmy પાર જઈને How to register વાળો વીડિયો જોઈ અરજી કરવાની સમગ્ર માહિતી મેળવી શકાય છે.