અગ્નિપથ યોજનાનો એકબાજૂ વિરોધ થઈ રહ્યો છે, તો વળી બીજી બાજૂ દિગ્ગજ ઉદ્યોગપતિઓ આ યોજનાનું સમર્થન કરી રહ્યા છે. 4 વર્ષ બાદ તેઓ અગ્નિવીરોને નોકરી આપશે તેવા વચનો આપી રહ્યા છે. જેના પર અખિલેશ યાદવે મોટી કાર્યવાહી કરી છે.
અગ્નિપથ યોજનાને લઈને કેટલાય ઉદ્યોગપતિઓએ કરી જાહેરાત
ઉદ્યોગપતિઓ પોતાની કંપનીઓમાં નોકરીના વચનો આપ્યા
અખિલેશ યાદવ પૂર્વ સૈનિકોની યાદી બનાવી
14 જૂને અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ, ત્યારે દેશમાં ધમાસાણ મચેલુ છે. સૌથી પહેલા તો આર્મીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ આ યોજનાના વિરોધમાં હોબાળો કર્યો. ધીમે ધીમે વિરોધની આગ-હોબાળો અને તોડફોડમાં બદલાઈ ગઈ. જો કે, સુરક્ષા વધારી તો, હિંસક પ્રદર્શનો તો નથી થતાં, પણ રાજકીય ધમાસાણ તો હજૂયે ચાલુ છે.
આ તમામની વચ્ચે દેશના કેટલાય મોટા કોર્પોરેટ ગ્રુપ અને દિગ્ગજ ઉદ્યોગપતિઓ, કેન્દ્ર સરકારની આ યોજનાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. ટાટા ગ્રુપે કહ્યું છે કે, તે અગ્નિવીરોને પોતાને ત્યાં નોકરીમાં પ્રાથિમકતા આપશે. કોર્પોરેટ જગતની આવી પહેલ પર સમાજવાદી પાર્ટીના નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કટાક્ષ કર્યો છે અને કંપનીઓને રિટાયર સૈનિકોની યાદી મોકલી છે.
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મંગળવારે ટ્વિટ કરીને કહ્યું કે, અગ્નિવીરોને ભવિષ્યમાં પોતાની કંપનીઓ તથા ઓફિસોમાં નોકરી આપવાના ભાવિ વાયદાઓ મોટા મોટા લોકો કરી રહ્યા છે. તેમના આ વચનો પર યુવાનો વિશ્વાસ કરી શકે, એટલા માટે અમે આવા વચનો આપનારાઓને મદદ કરવા માગીએ છીએ અને રિટાયર સૈનિકોની યાદી તાત્કાલિક મોકલી રહ્યા છીએ.
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આગળ કહ્યું કે, તે એ રિટાયર સૈનિકોને તાત્કાલિક પોતાની કંપનીઓ તથા કાર્યાલયોમાં નોકરી આપીને વાયદાની સત્યતા અને ગંભીરતાને સાબિત કરે. જેનાથી ભાવિ અગ્નિવીરો તેમના પર 4 વર્ષ બાદ વિશ્વાસ કરી શકે. વિશ્વાસ કથનીથી નહીં, પણ કરનીથી ઊભો થાય છે. અખિલેશ યાદવે રિટાયર સૈનિકોની યાદી બનાવી લીધી છે.
ક્યા ઉદ્યોગપતિઓએ અગ્નિપય યોજનાનું સમર્થન કર્યું
હકીકતમાં ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને અગ્નિપથના વખાણ કર્યા છે અને ટાટા ગ્રુપની કંપનીઓમાં અગ્નિવીરોને 4 વર્ષની સેવા આપ્યા બાદ નોકરીમાં પ્રાથમિકતા આપશે. ટાટા સન્સના ચેરમેન પહેલા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, આરપીજી એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોયનકાએ પણ અગ્નિવીર યોજનાનું સમર્થન કરી ચુક્યા છે.
આ ઉપરાંત બાયોકોન લિમિટેડના ચેરમેન કિરણ મજૂમદાર શો અને અપોલો હોસ્પિટલ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડી જેવા ઉદ્યોગપતિઓએ આ યોજનાને સમર્થન આપી ચુક્યા છે.