મિસાઈલ અગ્નિ-5નું 27 ઓક્ટોબર 2021એ ઓડિશાના ડો. એપીજે અબ્દૂલ કલામ આઈલેન્ડ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
મિસાઈલ અગ્નિ-5નું 27 ઓક્ટોબર 2021એ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
મિસાઈલ અગ્નિ-5ની રેન્જ 5000 કિલોમીટર
ચીન સહિત અનેક દેશોઓએ અગ્નિ-5ને લઈને નારજગી વ્યક્ત કરી
મિસાઈલ અગ્નિ-5નું 27 ઓક્ટોબર 2021એ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
ભારતની પરમાણું શક્તિ સંપન્ન અંતરમહાદ્વીપીય બૈલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું 27 ઓક્ટોબર 2021એ ઓડિશાના ડો. એપીજે અબ્દૂલ કલામ આઈલેન્ડ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આની રેન્જ 5000 કિલોમીટર છે. ભારત સરકારની નીતિ છે કે પહેલા કોઈ હથિયારનો ઉપયોગ નહીં કરે. એનો મતલબ છે કે હાલમાં કરવામાં આવેલું પરિક્ષણ સૈન્ય ક્ષમતા અને શક્તિ વધારવા માટે છે. આ મિસાઈલથી એશિયાના અનેક શહેરોને નિશાન બનાવી શકાય છે. માણસ લગભગ 6 સેકન્ડમાં એકવાર પાપણ ઝૂકવે છે એટલી જ વારમાં આ મિસાઈલ લગભગ 50 કિલોમીટર દૂર જતી રહે છે.
India has successfully developed the road-mobile, over 5,000-km-range Agni-5 missile with a 1.5-ton warhead as part of its nuclear deterrent. It is now working to equip it with multiple independently targetable warheads. Today's flight test might have involved a MIRVed version. pic.twitter.com/CwEEnZzjOt
ચીન સહિત અનેક દેશોઓએ અગ્નિ-5ને લઈને નારજગી વ્યક્ત કરી
થોડાક દિવસ રહેલા ચીન સહિત અનેક દેશોઓએ આને લઈને નારજગી વ્યક્ત કરી હતી. પરંતુ ભારતે પહેલા જ આ મિસાઈલનું પરિક્ષણ કરી દીધુ છે. ચીનની નારાજગી એટલા માટે છે કે મિસાઈલની રેન્જમાં તેનો આખો દેશ આવે છે. એવું કોઈ શહેર નથી જે મિસાઈલના હુમલાથી બચી શકે. અગ્નિ-5ને અંતરમહાદ્વીપીય બૈલસ્ટિક મિસાઈલને રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન અને ભારત ડાયનેમિક્સ લિમિટેડે મળીને બનાવી છે.
એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપે છે
અગ્નિ-5 અંતરમહાદ્વીપ બેલસ્ટિક મિસાઈલનું વજન 50 હજાર કિલોગ્રામ છે આ 17.5 મીટર લાંબી છે. આનો વ્યાસ 2 મીટર એટલે 6.7 ફીટ છે. તેની ઉપર 1500 કિલોગ્રામ વજનનું પરમાણું હથિયાર લગાવી શકાય છે. આની સ્પીડ 24 ગણી વધારે છે. એટલે કે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપે છે. આ 29, 401 કિલોમીટર પ્રતિ કલાકથી દુશ્મન પર હુમલો કરે છે. આમાં રિંગ લેજર ગાઈરોસ્કોપ ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, NavlC સેટેલાઈટ ગાઈડેન્સ સિસ્ટમ લાગેલો છે. આ મિસાઈલ અંગે વૈજ્ઞાનિક એમ. નટરાજને વર્ષ 2007માં પહેલી વાર યોજના બનાવી હતી.
મિસાઈલની સૌથી ખાસ વાત આની MIRV ટેક્નિક છે
ભારત જો આ મિસાઈલને લાદે છે તો તે સમગ્ર એશિયા, યુરોપ, આફ્રીકાના કેટલાક ભગો સુધી હુમલો કરી શકે છે. આ મિસાઈલની સૌથી ખાસ વાત આની MIRV ટેક્નિક છે. આ ટેક્નીકમાં મિસાઈલની ઉપર અનેક જીવલેણ વોરહેડમાં એક હથિયારની જગ્યા અનેક હથિયાર લગાવી શકાય છે. એટલે કે એક મિસાઈલ એક સાથે અનેક ટાર્ગેટ પર નિશાન લગાવી શકે છે.