કેન્દ્રની મોદી સરકાર ગત દિવસોમાં અગ્નિવીરોની ભરતી માટે અગ્નિપથ યોજના લઈને આવી છે, જેને લઈને યુપી, બિહાર અને હરિયાણા જેવા રાજ્યોમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે.
કેન્દ્રની મોદી સરકાર લાવી અગ્નિપથ યોજના
આ યોજનાના વિરોધમાં કેટલાય રાજ્યોના યુવાનો
ખેડૂત આંદોલન માફક રૂપ ધારણ કર્યું
એક વર્ષ કરતા પણ વધારે સમય સુધી ચાલેલું ખેડૂત આંદોલન આખરે સરકાર ઝૂકી અને ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાયા. તેની પહેલા કેટલાય ખેડૂત સંગઠનો દિલ્હીની બોર્ડર બેઠા હતા અને કેટલાય રાજ્યોમાં હિંસક પ્રદર્શનો પણ થયા હતા. હવે આવા જ હાલ સેનામાં ભરતીને લઈને પણ થઈ રહ્યા છે. અગ્નિપથ સ્કીમના વિરોધમાં આવો જ મોડ આવતો દેખાઈ રહ્યો છે. 4 વર્ષ માટે યુવાનોને સેનામાં અગ્નિવીર તરીકે ભરતી કરવા અને તેમાયે પણ 25 ટકાને જ ભરતી માટે આગળ લઈ જવાનો યુવાનો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે આ સ્કીમની જાહેરાત બાદ બુધવારે સવારે બિહારમાં હિંસક પ્રદર્શન થયા હતા. ત્યાર બાદ યુપીના કેટલાય શહેરોમાં, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત કેટલાય રાજ્યોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે.
ત્યાર બાદથી આ આંદોલન સતત ચાલુ છે અને યુવાનોનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લેતું. ત્યારે હવે કેન્દ્ર સરકાર આ તમામની વચ્ચે મોટી જાહેરાત કરી છે, અને યુવાનોના ગુસ્સાને શાંત કરવાનું કામ કર્યું છે. અગ્નિવીરોની ભરતી માટે ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવી હતી, અને તેમાં હગવે બે વર્ષની છૂટ આપી છે. એટલે કે, હવે 23 વર્ષ સુધીના યુવાનો તેના માટે અરજી કરી શકશે. એટલુ જ નહીં ખુદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ યુવાનોને શાંતિ માટે અપીલ કરી છે અને કહ્યું છે કે, તેઓ તેના માટે તૈયારી કરે અને ભવિષ્ય ઉત્તમ બનાવાનો લાભ ઉઠાવે.
અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા મિનિસ્ટરો આગળ આવ્યા, શું યુવાનો માનશે ?
એટલુ જ નહીં હોમ મિનિસ્ટર અમિત શાહે પણ યુવાનોને શાંતિની અપીલ કરતા કહ્યું છે કે, બે વર્ષથી ભરતી અટકેલી હતી અને હવે યુવાનોને મોકો મળ્યો છે. જો કે અત્યાર સુધી સેનાની તૈયારી કરી રહેલા યુવાનો પર તેની અસર દેખાતી નથી. ત્યારે સવાલ એ છે કે, ફરી એક વાર આ મુદ્દો મોદી સરકારની અગ્નિપરીક્ષા લઈ રહ્યો છે, જેવી રીતે ખેડૂત આંદોલનમાં લીધી હતી. હકીકતમાં જોઈએ તો, યુવાનો રસ્તાઓ પર ઉતર્યા છે, તો વિપક્ષે પણ આ મુદ્દાને હાથોહાથ ઉપાડી લીધો છે. ખેડૂત આંદોલનના નેતા રહેલા રાકેશ ટિકેતે વિદ્યાર્થીઓને છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની વાત કરી છે.
#WATCH | Bihar: A school bus, with children on board, got stuck in the road blockade by agitators in Darbhanga. The bus later managed to get out of the blockade with Police intervention.
સરકારની સૌથી મોટી મુશ્કેલી એ છે કે, એક બાજૂ યુવાનોને સમજાવવામાં નિષ્ફળતા મળી રહી છે, તો વળી જેડીયૂ જેવા સહયોગી દળ પણ તેમની સાથે નથી. જેડીયુનું કહેવુ છે કે, સરકારે તેના પર વિચાર કરવો જોઈએ અને યુવાનો સાથે વાત કરવી જોઈએ. જેડીયુના એક નેતાએ કહ્યું કે, સારુ થાત, જો કેન્દ્ર સરકાર પોતાની સહયોગીઓ સાથે આ મુદ્દા વાત ચીત કર્યા બાદ કોઈ નિર્ણય લેતી. ભલે ભાજપ આરોપ લગાવતી હોય કે, વિપક્ષ તરફથી યુવાનોને ભરમાવવામાં આવ્યા હોય, પણ હાલની સ્થિતિ બતાવે છે કે, આ મુદ્દા પર તેઓ પહેલાથી જ ઘેરાયેલા છે.
#WATCH | Bihar: Trains burnt and damaged, cycles, benches, bikes, and stalls thrown on railway tracks amid the ongoing agitation against the recently announced #AgnipathRecruitmentScheme
ખાલી ભાજપ શાસિત રાજ્ય સાથે, અન્ય દળોએ દૂર રહેવાનું પસંદ કર્યું
હકીકતમાં આ સંકટ એટલા માટે વધી રહ્યું છે કેમ કે, અગ્નિવીરોને 4 વર્ષની નોકરી બાદ સેવામુક્તિ થવલા પર ફક્ત યુપી, હરિયાણા, મધ્ય પ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોઓએ જ અન્ય નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત કહી છે. હોમ મિનિસ્ટ્રીએ પણ અર્ધ સૈનિક દળમાં આ યુવાનોને પ્રાથમિકતા આપવાની વાત કહી છે. પણ રાજસ્થાન, પંજાબ, દિલ્હી જેવા કેટલાય રાજ્યોએ તેના પર કોઈ જાહેરાત કરી નથી, જે વિપક્ષી દળો દ્વારા શાસિત રાજ્યો છે. ત્યાં સુધી કે, બિહારમાં પણ સરકારે કોઈ જાહેરાત કરી નથી. જેમાં ખુદ ભાજપ સહયોગી સરકાર છે. ત્યારે આવા સમયે જેડીયૂ તરફથી ભાજપ પર પ્રેશર બનાવવા માટેના ક્યાસ લગાવામાં આવી રહ્યા છે.