આવકવેરા વિભાગ દ્વારા એક પ્રિન્ટ મીડિયા ગ્રુપ અને ઉત્તર પ્રદેશની એક ન્યૂઝ ચેનલ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ પગલું સરકાર દ્વારા દ્વેષપૂર્ણ રીતે લેવાયું હોવાની ચર્ચા ચાલી હતી.
મમતા બેનરજી અને અશોક ગહેલોતે કરી સરકારની ટીકા
સોશ્યલ મીડિયામાં આ દ્વેષપૂર્ણ પગલું હોવાની ચર્ચા
સરકારની નિંદા કરવા બદલ બદલો લેવામાં આવ્યો હોવાનો દાવો
દેશના એક જાણીતા મીડિયા ગ્રુપ અને ઉત્તર પ્રદેશની એક ન્યૂઝ ચેનલ પર પાડવામાં આવેલ દરોડા અંગે દાવો કરવામાં આવ્યો હતો કે આ ગ્રુપ દ્વારા મોટાપાયે કરચોરી કરવામાં આવતી હતી. તો બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા આને એક રાજકીય પગલું ખપાવવામાં આવી રહ્યું છે. જો કે આ મીડિયા ગ્રુપ્સ દ્વારા સરકારની નિંદા કરવામાં આવતી હોવાથી રાજકીય અદાવત રાખીને સરકાર દ્વારા આ પગલાં લેવાયા હોવાની ચર્ચા પણ સોશ્યલ મીડિયા પર થઈ રહી છે.
અનુરાગ ઠાકુરનું નિવેદન
આ દરોડા અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આ મામલે કેન્દ્ર સરકારને અલગ રાખવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે "એજન્સીઓ તેમનું કામ કરે છે, અમે તેમની કામગીરીમાં દખલ કરતાં નથી. કોઈ પણ ઘટના વિશે ખોટી માહિતી ફેલાય એ પહેલાં સત્યનું બહાર આવવું જરૂરી છે. અધૂરી માહિતી ઘણીવાર ગેરમાર્ગે દોરનારી હોય છે" જો કે સરકાર દ્વારા માત્ર આટલી જ પ્રતિક્રિયા આપવામાં આવી છે. કરવેરા વિભાગ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આ અંગે કોઈ અધિકૃત બયાન આવ્યું નથી.
The attack on journalists & media houses is yet another BRUTAL attempt to stifle democracy.#DainikBhaskar bravely reported the way @narendramodi ji mishandled the entire #COVID crisis and led the country to its most horrifying days amid a raging pandemic. (1/2)
કરવેરા વિભાગના સોએક જેટલા માણસો દ્વારા એક પ્રિન્ટ મીડિયા ગ્રૂપના 30 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હી,ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના સ્થળો ઉપરાંત ગ્રૂપના સભ્યોના ઘર તેમજ ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશની ન્યૂઝ ચેનલ ભારત ન્યૂઝ પર પણ આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. વિભાગની એક ટીમ તેમની લખનૌ ઓફિસ અને બીજી ટીમ તંત્રીના ઘરે પહોંચી હતી. તેમણે કરવેરાના કાગળો તપાસ્યા હતા.
Income Tax raid on Dainik Bhaskar newspaper & Bharat Samachar news channel is a brazen attempt to suppress the voice of media. Modi government cannot tolerate even an iota of its criticism. Due to its fascist mentality, the BJP doesn't want to see the truth in a democratic setup.
દૈનિક ભાસ્કર અને ભારત સમાચાર સરકારની નીતિઓની સતત ટીકા કરતાં હતા. કોવિડ કાળમાં તેમણે સરકારની નીતિઓની ટીકા કરવા સાથે એપ્રિલ મે મહિનામાં જ્યારે કોરોના પોતાની ટોચ પર પહોંચ્યો હતો ત્યારે થયેલ વિનાશની તવારીખી રજૂઆત કરી હતી.
ભારત સમાચાર ટીવીના તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કહ્યું છે કે "તેઓના મુખ્ય સંપાદક બ્રજેશ મિશ્રા, રાજ્ય વડા વિરેન્દ્રસિંહના ઘરે તેમજ કેટલાક કર્મચારીઓના ઘરો અને ચેનલ ઑફિસ પર તલાશી લેવામાં આવી રહી છે."વિરોધ પક્ષે સરકાર પર આરોપ લગાવ્યો કે કોવિડ દરમિયાન તેમના "ગેરવહીવટ" અંગેના અહેવાલોના બદલામાં ટેક્સના દરોડા પાડવાનો આદેશ આપ્યો હતો.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને લોકશાહીને દબાવવાનો નિર્દય પ્રયાસ ગણાવ્યો હતો.
અશોક ગેહલોતે પણ કરી ટીકા
અશોક ગેહલોતે પણ સરકારના આ પગલાંની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ હતો. સરકાર તેમની ટીકા સહન કરી શક્તિ નથી જેથી તેમને સત્ય બહાર આવવા નથી દેવું.