બોલીવુડમાં પોતાના અવાજથી લાખો દિલો પર રાજ કરનાર નેહા કક્કડના લગ્નને લઈને ખબર સામે આવી રહી છે. નેહાના લગ્નની ખબર મળતા જ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હાલ સિંગિંગ રીયાલીટી શો 'ઇન્ડિયન આઈડલ'માં જજ તરીકેની ભૂમિકા ભજવી રહી છે. શોમાં છોકરાના પરિવારે નેહાને જાહેરમાં જ પોતાની પુત્રવધુ માની લીધી.
નેહાના લગ્નની વાત આવી સામે
ઇન્ડિયન આઈડલમાં પહોચ્યા ઉદિત નારાયણ
દીપા નારાયણે નેહા કક્કડને પોતાની પુત્રવધુ બનાવવાની વાત કરી
બોલીવુડમાં પોતાના અવાજથી લાખો દિલો પર રાજ કરનાર નેહા કક્કડના લગ્નને લઈને ખબર સામે આવી રહી છે. નેહાના લગ્નની ખબર મળતા જ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હાલ સિંગિંગ રીયાલીટી શો 'ઇન્ડિયન આઈડલ'માં જજ તરીકેની ભૂમિકા ભજવી રહી છે. શોમાં છોકરાના પરિવારે નેહાને જાહેરમાં જ પોતાની પુત્રવધુ માની લીધી.
ઇન્ડિયન આઈડલ 11ને હોસ્ટ કરતા આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણ પોતાના પત્ની સાથે ઇન્ડિયન આઈડલના સેટ પર પહોચ્યા હતા. ઉદિત નારાયણે શોમાં ચોંકાવનારા ખુલાસા કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
ઉદિત નારાયણે શોમાં કહે છે કે હું આ શો શરૂઆત જોઉં છું કારણકે આ શોના જજ ખુબ જ ઈમાનદાર છે તેમજ શોમાં નેહા કક્કડ પણ છે જેને હું મારા ઘરની પુત્રવધુ બનાવવા ઈચ્છું છું.
મળી જાણકારી અનુસાર માત્ર ઉદિત નારાયણે જ નહિ પરંતુ તેમની પત્ની દીપા નારાયણે પણ નેહા કક્કડને પોતાની પુત્રવધુ બનાવવાની વાત કરી છે. આ શોમાં નેહાના માતા પિતા પણ હાજર હતા. તે પણ આ વાતમાં સહમત થયા છે. આદિત્ય નારાયણ પણ ખુશ દેખાય છે. જ્યારે નેહા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી એવી ખબરો કે પૃષ્ટિ સામે આવી નથી.