જો તમોને કાનમાં કોઈ મુશ્કેલી હોય તો તેને અવગણતા નહિ, કાનમાં દુખાવો,સાંભળવામાં મુશ્કેલી,ઝણઝ્નાટી અથવા ચકકર આવવા તે કોરોનાના લક્ષણ હોય શકે છે. તરત જ તબીબ ની સલાહ લો.
જો તમોને કાનમાં કોઈ મુશ્કેલી હોય તો તેને અવગણતા નહિ, કાનમાં દુખાવો,સાંભળવામાં મુશ્કેલી,ઝણઝ્નાટી અથવા ચકકર આવવા તે કોરોનાના લક્ષણ હોય શકે છે. તરત જ તબીબ ની સલાહ લો.
ઓમિક્રોન અને કોરોના વાયરસ નાં કેસ જેમ-જેમ વધી રહ્યા છે તેની સાથે તેના લક્ષણો પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાના નવા લક્ષણોમાં એવા 20 લક્ષણો શામેલ હતા જેમાં તથ્ય મળ્યું કે નવા ઓમિક્રોન વાયરસ તમારા મગજ,આંખ અને હૃદય પર અસર કરે છે.
બ્રિટનના એક અહેવાલમાં પણ કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનના આ 20 લક્ષણો અંગે જણાવાયું છે . પરંતુ હવે કોરોનાનું નવું એક લક્ષણ સામે આવ્યું છે.જેમાં કોરોના તમારા કાનો પર આક્રમણ કરી રહ્યો છે. ઓમિક્રોનનો આ લક્ષણ વધારે તો વેક્સીન લઇ ચુકેલા લોકોમાં નજરે પડે છે.
જો કે વિશેષજ્ઞનું માનવું છે કે સમયસર ઈલાજ શરુ કરવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ જલ્દીથી આવી શકે છે. સ્ટેન ફોર્ડ યૂનિ.માં કાન સંબંધિત આ સમસ્યાથી પીડિત લોકોની તપાસ કરવામાં આવી. જેમાં ખબર પડી કે કેટલાય દર્દીઓ જે કાનમાં દુખાવો અને સણસણી અનુભવતા હતા તેઓ કોરોના સંક્રમણથી પીડિત હતા. વિશેષજ્ઞ કહે છે કે, જો તમે કાનના દુખાવાથી પરેશાન છો,તમને સાંભળવામાં તકલીફ છે કે ચક્કર આવે છે તો તેને નજર અંદાજ નાં કરો. તબીબોની સલાહ લો અને કોવિડની તપાસ કરાવો