જામનગરમાં વકીલ પર થયેલા હુમલા મામલે 2 શખ્સે સામે ફરિયાદ દાખલ થઈ છે. આ મામલે 2 શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ થઈ છે. ત્યારે હવે ઘટના સ્થળના CCTV સામે આવ્યા છે. જોઇએ સમગ્ર અહેવાલ.
સામે આવેલા CCTVમાં દેખાઈ સપષ્ટ દેખાઇ રહ્યુ છે કે, હુમલાનો ભોગ બનેલા વકીલ કોઈને ફોન કરી ઢળી પડ્યા હતા. આ દરમિયાન 2 શખ્સોએ હુમલો કર્યો હતો. શખ્સોએ છરીના છ ઘા માર્યા હતા. હાલમાં વકીલ સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ આ પહેલાની ફરિયાદના સમાધાન માટે વકીલે બે શખ્સોને બોલાવ્યા હતા. આ દરમિયાન બન્ને શખ્સોએ મળીને હુમલો કર્યો હતો. આ મામલે ઈરફાન અને લાલો બારોટ નામના શખ્સ સામે ફરિયાદ થઈ છે.