કેરળનાં ઉત્તરથી દક્ષિણ તરફ રવિવારે એક 620 કિમીની માનવ શ્રૃંખલા બનાવી બનાવવામાં આવી હતી. સત્તાધીશ સીપીઆઈ(એમ)નાં નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ(એલડીએફ)એ ગણતંત્ર દિવસે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેના માધ્યમથી નાગરિક્તા સંશોધન કાયદા (CAA)ને પાછો ખેંચવા માટે માંગણી કરવામાં આવી હતી.
કેરળમાં 620 કિમીની માનવ શ્રૃંખલા બની
લગભગ 60-70 લાખ લોકો જોડાયા
મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ જોડાયા
એલડીએફે ઉત્તર કેરળનાં કાસર ગોડથી લઈ કાલિયક્કાવિલઈ સુધી માનવ શ્રૃંખલા બનાવી હતી. તિરુવનંતપુરમમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને સીપીઆઈ નેતા કનમ રાજેન્દ્રએ પણ ભાગ લીધો હતો. એલડીએફ તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ માનવ શ્રૃંખલામાં 60થી 70 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ હ્યુમન ચેનમાં સાંજે લગભગ 4 વાગે બની અને આ દરમિયાન સંવિધાનની પ્રસ્તાવનાનું પઠન પણ કરવામાં આવ્યું હતું.
સંવિધાનની રક્ષા માટે પ્રતિજ્ઞા લીધી
આ કાર્યક્રમમાં સંવિધાનની પ્રસ્તાવનાનું પઠન કર્યા પછી સંવિધાનની રક્ષા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સાથે સાથે એવો દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર આને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. વરિષ્ઠ સીપીઆઈ(એમ)નેતા એસ રામચંદ્રન પિલ્લાઈ કાસરગોડમાં 620 કિમી લાંબી ચેઈનની પહેલી કડી હતા. જ્યારે કલિયાક્કવિલઈ પર એમએ બેબી છેલ્લી કડી બન્યા હતાં. તેની સાથે સાથે કેરળનાં કેટલાંય વરિષ્ઠ લોકો માનવ શ્રૃંખલામાં જોડાયા હતા.