સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ વધુ એક અગ્નિકાંડ સામે આવ્યો છે. સુરતના ભટાર રોડ પાસે આવેલી જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં આવેલા કોમ્પલેક્ષના નીચેના ભાગમાં આગ લાગી. ત્યારે કોમ્પેલેક્ષમાં આગ લાગતા બાજુમાં આવેલી શાળામાંથી 150 બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આગ શાળા સુધી પહોંચે તે પહેલા બાળકોને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે અહિંયા સવાલ એ છે કે, તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ તંત્રની કેમ આંખ નથી ખુલી ?. શું સુરત તંત્રએ તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ કોઇ બોધપાઠ નથી લીધો ?. સુરતમાં હજુ કેટલા અગ્નિકાંડ થતા રહેશે ?. શું તક્ષશિલા અગ્નિકાંડ બાદ તંત્રએ તપાસના નામે માત્ર નાટક જ કર્યું છે ?. શું તંત્રને બાળકોના જીવની કંઇ પડી જ નથી ?.