ભારત અને ચીન વચ્ચે ગલવાન ખાડીમાં થયેલી હિંસક અથડામણ બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે ચીને 2 વર્ષ બાદ ભારતીય ચોખાની આયાત કરવાની શરૂઆત કરી છે.
ભારત-ચીન વિવાદ વચ્ચે આવ્યા મોટા સમાચાર
2 વર્ષ બાદ ચીને ભારતને આપ્યો ચોખા ખરીદવાનો ઓર્ડર
5000 ટન બિન-બાસમતી ચોખાની આયાત કરવાનો આપ્યો ઓર્ડર
ભારતીય નિકાસકારોએ અન્ય દેશોની તુલનામાં સ્પર્ધાત્મક ભાવની ઓફર કર્યા પછી, આ પડોશી દેશે 5000 ટન બિન-બાસમતી ચોખાની આયાત કરવાનો ઓર્ડર આપ્યો છે. ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોટર્સ એસોસિએશન (એઆઈઆરઆઈએ) એ આ માહિતી આપી છે.
દુનિયામાં સૌથી વધુ ચોખાની નિકાસ કરનાર દેશ છે ભારત
ભારત દુનિયામાં ચોખાની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે, જ્યારે ચીન સૌથી વધુ આયાત કરનાર દેશ છે. નોંધનીય છે કે, વર્ષ 2006 માં, ચીને ભારતીય ચોખા માટે બજાર પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તેની બાજુથી આયાત ફક્ત નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન થઈ શક્યું .
બંન્ને રાષ્ટ્રો વચ્ચે સીમા મુદ્દે ચાલી રહ્યો છે તણાવ
ચીન એવા સમયે ભારતમાંથી ચોખાની ખરીદી કરી રહ્યું છે જ્યારે બંને દેશોની સરહદ પર તણાવ છે. એઆઈઆરઆઈએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનોદ કૌલે કહ્યું કે, "જોકે વર્ષ 2006 માં બજારમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી, ચીને નાણાકીય વર્ષ 2017-18માં લગભગ 974 ટન બિન-બાસમતી ચોખાની આયાત કરી હતી. હવે બે વર્ષ પછી, આપણી સાથે આયાત માટે પૂછપરછ શરૂ કરી છે. '
4 મિલિયન ટન ચોખાની નિકાસ
આ સિવાય ભારત હાલમાં વિશ્વના અન્ય દેશોની તુલનામાં સ્પર્ધાત્મક ભાવો આપી રહ્યું છે. એઆઈઆરઆઈએ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબરના ગાળામાં ભારતે 28 લાખ ટન બાસમતી ચોખા અને 61 લાખ ટન બિન-બાસમતી ચોખાની નિકાસ કરી છે. નાણાકીય વર્ષ 2019-20માં કુલ બાસમતી ચોખાની નિકાસ રેકોર્ડ 4 મિલિયન ટન અને બિન-બાસમતી ચોખાની નિકાસ 5 મિલિયન ટન હતી.