ગૌતમ અદાણીની માલિકીવાળા મુંદ્રા પોર્ટમાં 20000 કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ અદાણી પોર્ટેસે એક મોટી જાહેરાત કરી છે.
અદાણી પોર્ટ્સની મોટી જાહેરાત
15 નવેમ્બરથી ઈરાન, પાક.અને અફઘાનના કન્ટેનર્સ હેન્ડલ નહીં કરે
અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત તમામ પોર્ટ્સમાં લાગુ પડશે આ નિયમ
અદાણી પોર્ટેસની જાહેરાત અનુસાર, કંપની મુદ્રા પોર્ટમાં ડ્રગ્સનો મામલો સામે આવ્યાં બાદ 15 નવેમ્બરથી ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાંથી આવનાર કાર્ગો નહીં સ્વીકારે. કંપનીએ કહ્યું કે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા સંચાલિત તમામ પોર્ટ્સમાં આગામી નોટીસ સુધી આ એડવાઈઝરી લાગુ પડશે.
3 દેશોમાંથી આવનાર કાર્ગો નહીં સ્વીકારે અદાણી જૂથ
કંપનીની જાહેરાત અનુસાર, અદાણી જૂથ 15 નવેમ્બરથી ત્રણ દેશ ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવતા કાર્ગો નહીં સ્વીકારે, કંપનીના તમામ પોર્ટ પર આ નિયમ લાગુ પડશે.
શું છે મામલો
13 સપ્ટેમ્બરે અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત ગુજરાતના મુદ્રા પોર્ટમાંથી બે મોટા કન્ટેનર્સમાંથી અંદાજે 20,000 કરોડનું 3000 કિલો હેરોઈન ઝડપાયું હતું. મામલો પ્રકાશમાં આવતા દેશમાં ખળભળાટ મચ્યો હતો. દુનિયામાં અફીણ અને ડ્રગ્સ પેદા કરનાર સૌથી મોટા દેશ અફઘાનિસ્તાનમાંથી આ હેરોઈનની મોટી ખેપ આવી હતી.
હેરોઇનને જમ્બો બેગમાં છુપાવવામાં આવ્યું હતું
હેરોઇનને જમ્બો બેગમાં છુપાવવામાં આવ્યું હતું અને તેમાં પ્રોસેસ ન કરેલા ટેલ્ક પાવડર હોવાનું કહેવામાં આવ્યું હતું. આ દવા બેગના નીચેના સ્તરોમાં મૂકવામાં આવી હતી અને પછી જાણવા મળ્યું હતું કે ટેલ્ક પથ્થરો ઉપરથી ભરેલા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે કસ્ટમ વિભાગ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશન દરમિયાન જપ્ત કરવામાં આવેલા હેરોઇનની કિંમત આશરે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા છે. આ કેસ બાદ દેશભરમાં શ્રેણીબદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અફઘાન અને ઉઝબેકિસ્તાનના નાગરિકો સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ડ્રગ ઝડપાયા બાદ અદાણી પોર્ટે શું કરી કાર્યવાહી
ડ્રગ જપ્તી અંગે સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકા બાદ અદાણી જૂથે કહ્યું હતું કે તેને કન્ટેનરપર નજર રાખવાનો અને તપાસ કરવાનો કોઈ અધિકાર નથી. અદાણી ગ્રુપે તરત જ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દેશભરમાં કોઈ પણ પોર્ટ ઓપરેટર કન્ટેનરની તપાસ કરી શકશે નહીં. તેમની ભૂમિકા બંદરો ચલાવવા પૂરતી મર્યાદિત છે. એપીએસઇઝેડ એક બંદર ઓપરેટર છે જે શિપિંગ લાઇન્સને સેવાઓ પ્રદાન કરે છે. મુન્દ્રા અથવા અમારા કોઈ પણ બંદરમાં ટર્મિનલમાંથી પસાર થતા કન્ટેનર અથવા લાખો ટન કાર્ગોની તપાસ કરવાનો અમને કોઈ પોલીસિંગ અધિકાર નથી."નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે, "અમને પૂરી આશા છે કે આ નિવેદન અદાણી જૂથ સામે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા પ્રેરિત, દુષ્ટ અને ખોટા પ્રચારનો અંત લાવશે.