ગત દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ YES બેંક પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે. આ પ્રતિબંધના કારણે YES બેંકના ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ગ્રાહક 3 એપ્રિલ 2020 સુધી માત્ર 50 હજાર રૂપિયા જ ખાતામાંથી ઉપાડી શકે છે અને નવી લોન પણ નહી લઇ શકે.
YES બેંકની પરિસ્થિતિને જોઇને દેશના ત્રણ અન્ય બેંક પર પણ સવાલ ઉભા થઇ રહ્યાં છે. જો કે આ ત્રણ બેંકો દ્વારા ગ્રાહકો દ્વારા આ અંગે સ્પષ્ટતા કરતાં ગ્રાહકોનું ટેન્શન દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
RBL બેંક
ખાનગી ક્ષેત્રના RBL બેંકે પોતાની સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમની નાણાંકીય સ્થિતિ મજબૂત છે. RBL બેંકે કહ્યું કે બેંકનું સંચાલન બેંકની લઇને ચિંતાઓ દૂર કરવા ઇચ્છે છે, જે ખોટી સૂચનાઓ પર આધારિત છે.
બેંક તરફથી નિવેદન આપતા જણાવાયું છે કે અમે એ વાત ફરીથી જોર આપવા ઇચ્છીએ છીએ કે RBL બેંક એક બુનિયાદી રીતે મજબૂત સંસ્થા છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં સંસ્થાની નાણાકીય સ્થિતિ અને સ્થિરતાને લઇને જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે અને તથ્યો પર આધારિત નથી. RBL બેંકે જણાવ્યું કે તેમની પાસે રોકડની સ્થિતિ સારી છે, સંચાલન પણ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
કરૂર વૈશ્ય બેંક
આ જ રીતે ખાનગી ક્ષેત્રની કરૂર વૈશ્ય બેંક (KVB) એ પણ નાણાંકીય સ્થિતિ મજબૂત હોવાની વાત જણાવી છે. બેંક દ્વારા જણાવામાં આવ્યું છે કે તેમની રોકડ આધાર ઠીક છે અને તે એક નફો કમાનાર બેંક છે.
કરૂર વૈશ્ય બેંકના એક નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે KVB ની પાસે પર્યાપ્ત માત્રામાં રોકડ છે. પોતાના 104 વર્ષના ઇતિહાસમાં બેંક સતત નફો કરતી રહી છે. ખાનગી ક્ષેત્ર બેંક દ્વારા એમ પણ જણાવામાં આવ્યું કે તેમની પાસે રોકડ ઘણી છે.
કર્ણાટક બેંક
એક અન્ય બેંક કર્ણાટક બેંક દ્વારા પણ સ્પષ્ટતા કરતાં ગ્રાહકોની ચિંતા દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કર્ણાટક બેંકે ખાતાધારકોને તેમના રૂપિયા સુરક્ષિત હોવાનું જણાવતાં કહ્યું કે તેમનો આધાર મજબૂત છે અને તેમની પાસે જરૂરિયાત જેટલી રોકડ પર્યાપ્ત માત્રામાં છે. બેંક દ્વારા જણાવામાં આવ્યું કે ખાતાધારોકને ચિંતા કરવાની કોઇ જરૂરિયાત નથી.