ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમું ટાઈટલ અપાવ્યા બાદ આઈપીએલમાંથી નિવૃત્તિની અટકળો વિશે વાત કરતાં ધોનીએ કહ્યું કે, 'તક જોશો તો નિવૃત્તિની જાહેરાત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે પણ..'
IPLમાં 5 વખત ટાઈટલ જીતનાર કેપ્ટન બન્યા ધોની
ધોનીએ નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી
નિવૃત્તિ પર ધોનીએ શું કહ્યું? જાણો
ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની ભલે ગુજરાત સામે રમાયેલી ફાઈનલ મેચમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા પણ તે IPLમાં 5 વખત ટાઈટલ જીતનાર કેપ્ટન બન્યા છે.તેણે IPLના ઈતિહાસમાં રોહિત શર્માની બરાબરી કરી લીધી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમું ટાઈટલ અપાવ્યા બાદ આઈપીએલમાંથી નિવૃત્તિની અટકળોને ફગાવી દેતા મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે તે ચાહકોના પ્રેમનું વળતર આપવા માટે આગામી સિઝનમાં ફરી રમશે. આ સિઝનની શરૂઆતથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ધોનીની છેલ્લી સિઝન હશે.
નિવૃત્તિ પર ધોનીએ શું કહ્યું?
ધોનીએ કહ્યું, "જો તમે તક જોશો તો નિવૃત્તિની જાહેરાત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. બધાનો આભાર માનીને નિવૃત્તિ લેવી મારા માટે સરળ છે પણ આઠ મહિના સુધી સખત મહેનત કરવી અને વધુ એક IPL સિઝન રમવી એ મુશ્કેલ કામ છે. એ માટે શરીર મજબૂત રાખવું પડે છે અને CSKના ચાહકો તરફથી મને જેટલો પ્રેમ મળ્યો છે તે તેમના માટે વધુ એક સિઝન રમવાની ભેટ હશે."
"તેઓએ જે રીતે તેમનો પ્રેમ અને લાગણી દર્શાવી છે, તે કંઈક છે જે મારે તેમના માટે કરવું જોઈએ. આ મારી કારકિર્દીનો છેલ્લો ભાગ છે. તે અહીંથી શરૂ થયો હતો અને અહીં દરેક લોકો મારું નામ મોટેથી લઈ રહ્યા હતા. ચેન્નાઈમાં પણ એવું જ થાય છે. પણ પાછા આવવું અને શક્ય તેટલું સારું રમવું સારું રહેશે.''
છેલ્લી ઓવરમાં જાડેજાએ બનાવ્યું ચેન્નાઈને ચેમ્પિયન
ચેન્નાઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે અંબાતી રાયડુ અને ધોની એક જ ઓવરમાં આઉટ થયા ત્યારે એક સમયે એવું લાગી રહ્યું હતું કે ગુજરાતે મેચ પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. પરંતુ અંતે બેટિંગ કરવા આવ્યો રવીન્દ્ર જાડેજા. ચેન્નાઈને 6 બોલમાં 13 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરમાં બે બોલમાં 1 ફોર અને 1 સિક્સ ફટકારીને CSKને 5મી વખત ચેમ્પિયન બનાવ્યું હતું.