લોટની વધતી કિંમતોને રોકવા માટે હવે સરકાર લોટની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. આ માટે સરકારે નવા અને કડક પગલાં લીધા છે.
લોટની વધતી કિંમતોને રોકવા માટે મોદી સરકારે લીધા કડક પગલાં
મોદી સરકાર લોટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવાઈ
IMC એટલે કે ઘઉં પરની આંતર-મંત્રાલય સમિતિ પાસેથી લેવી પડશે પરવાનગી
વધતી મોંઘવારી અને ખાદ્યપદાર્થોની વધતી કિંમતો વચ્ચે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. ઘઉં બાદ હવે સરકારે લોટની નિકાસ પર કડક કાર્યવાહી કરી છે અને આ માટે DGFT (ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ) એ પણ નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોટના વધતા ભાવને રોકવા માટે હવે સરકાર લોટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે અને આ સંદર્ભે સરકારે લોટની નિકાસ પર કાર્યવાહી હાથ ધરી છે.
12 જુલાઈથી લોટની નિકાસ પર કાર્યવાહી
DGFT દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, 6-12 જુલાઈ સુધી, ફક્ત તે માલસામાનને નિકાસ માટે મંજૂરી આપવામાં આવશે, જે કાં તો જહાજ પર લોડ કરવામાં આવી છે અથવા કસ્ટમ્સને સોંપવામાં આવી છે. આ સિવાય જે પણ કન્સાઈનમેન્ટ થશે તેને રોકી દેવામાં આવશે
IMC પાસેથી મંજૂરી લેવી પડશે
નોટિફિકેશન મુજબ, IMC એટલે કે ઘઉં પરની આંતર-મંત્રાલય સમિતિ પાસેથી પરવાનગી લેવી પડશે. લોટની નિકાસ માટે આ સમિતિની મંજૂરી લેવી જરૂરી રહેશે. આપને જણાવી દઈએ કે સરકાર સતત દેખરેખ રાખી રહી હતી અને આ દરમિયાન જોવામાં આવ્યું કે ઘઉંની નિકાસ પર નિયમન બાદ લોટની નિકાસ વધી છે.
નિકાસના ભાવમાં વધારો
તમને જણાવી દઈએ કે લોટની નિકાસ વધવાને કારણે સ્થાનિક બજારમાં પણ કિંમતો પર અસર થવા લાગી છે. આ પગલું વધતી કિંમતોને નિયંત્રિત કરવા અને વપરાશ માટે સ્ટોક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું હતું.