કહેવા છેને પ્રેમ આંધળો હોય છે, આવી જ એક ઘટના બિહારના ગોપાલગંજમાં સામે આવી છે. જેમાં એક ભાણીયો તેની મામીને લઈને ફરાર થયો છે.
બિહારમાં બની ચોંકાવનારી ઘટના
ભાણીયો તાજી પરણીને આવેલ મામીને લઇ ભાગ્યો
પોલીસે હાથ ધરી તપાસ
બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે, બિહારના ગોપાલગંજમાં ચોંકાવનારી ઘટના બની હતી. તાજેતરમાં જ પરણીને આવેલ મામી અને ભાણા વચ્ચે પ્રેમ થયો હતો અને બંન્ને તક મળતા જ ભાગી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
ભાણી સાથે ભાગી મામી
આ ઘટના અંગે પીડિત મામાએ પોતાના ભાણીયા સહિત 4 લોકો સામે માંઝાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે તાપસ હાથ ધરી હતી. સમગ્ર મામલો સુરવનિયા ગામમાં રહેતા રાકેશ શર્મા સાથે જોડાયેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 22 ફેબ્રુઆરીના રોજ રાકેશ શર્માના લગ્ન હરપુર ગામમાં રહેનારી એક યુવતી સાથે થઇ હતી. જો કે, લગ્નજીવવના થોડા દિવસમાં જ દુલ્હનના જીવનમાં ભાણાનો પ્રવેશ થયો.
પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
આરોપ છે કે બરૌલીનો ભત્રીજો રાકેશની ગેરહાજરીમાં તેના કેટલાક સાથીદારો સાથે તેની મામીને મળવા આવતો હતો. દરમિયાન મામી અને ભત્રીજાની આંખો મળી ગઇ અને એક દિવસ બંને ભાગી છૂટ્યા. રાકેશ હાર્ડવેરની દુકાન ચલાવે છે. માંઝાના પ્રભારી રવિકાંત દુબેએ ગુરુવારે જણાવ્યું હતું કે મંગળવારે રાકેશ શર્માના નિવેદન પર અપહરણની એફઆઈઆર નોંધવામાં આવી છે.