રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં યોજાનારા ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાઈબ્રન્ટ સમિટ બાદ ફલાવર શો અને કાઈટ ફેસ્ટિવલ પણ રદ્દ
રાજ્યમાં સંક્રમણનું દર વધતા સરકારે લીધા આ મહત્વનો નિર્ણયો
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસનો કહેર વધ્યો છે
સમિટ મોકૂફ કર્યા બાદ AMCએ લીધા તાબડ તોબ નિર્ણયો
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, તો બીજી તરફ સંક્રમણ અને કેસોને ધ્યાનમાં રાખતા સરકારે વાઈબ્રન્ટ સમિટ રદ કરી છે. તો હવે અમદાવાદ શહેરમાં યોજાનારા ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસનો કહેર વધ્યો છે, સંક્રમણ વધતા સરકારે આ પ્રકારના મહત્વના નિર્ણય કર્યો છે
રાજ્ય સરકાર રહી રહીને જાગી
જોવા જઈએ તો રહી રહીને સરકાર જાગી છે. અઆ પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ પર 8થી 22 જાન્યુઆરી દરમિયાન યોજાનારા ફ્લાવર શોને રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં રજૂઆત કરાઇ છે કે અત્યારે આયોજનને આખરી ઓપ અપાઇ રહ્યો છે અને બીજી તરફ અમદાવાદમાં રાજ્નયા સૌથી વધુ કેસો છે. આવી પરિસ્થિતિમાં ફ્લાવર શોનું આયોજન સંક્રમણ વધારશે.