આ તરફ ભાવનગર શહેર અને પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. દિનસભર અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
ભાવનગરમાં ઉકળાટ બાદ મેઘમહેર
બોર તળાવની જળસપાટીમાં વધારો
જગતના તાતની ચિંતામાં વધારો
જગતના તાતની ચિંતામાં વધારો
નોંધનીય છે કે, અંદાજીત 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ શહેર સિવાય ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. જો કે, ભારે વરસાદ પડવાને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો હતો.
બોર તળાવમાં આવ્યા નવા નીર
ભાવનગરના બોરતળાવમાં પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવક થતા તળાવની સપાટી 40 ફૂટે પહોંચી છે. આ તળાવ 44 ફૂટે ઓવરફ્લો થાય છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી તળાવ ઓવરફ્લો થાય તેવી શક્યતા છે.
ભાવનગરમાં ભારે વરસાદ બાદ ઉમરાળામાં આવેલો કાળુભાર ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે કાળુભાર ડેમ 31 ફુટેની સપાટીએ પહોંચ્યો છે. પાણીની આવક વધતા ડેમનો 1 દરવાજો ખોલવામા આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામા આવી છે. ભોજાવડર,સમઢીયાળા,ગઢાલિ,તરપરા, રાજપીલપલા સહિતના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
ખેતરોમાં પાણી ભરાયા
ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામે વરસાદી માહોલ યથાવત છે. જેન લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે વરસાદને કારણ કપાસ, જુવાર, મકાઇ, બાજરીના પાકને નુકસાન થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી સુકાવાનું નામ નથી લઈ રહયા જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.