ભાગેડું વિજય માલ્યાને ભારતમાં તેઓની વિરૂદ્ધ દેવાંની છેતરપિંડી મામલામાં બ્રિટેનથી પ્રત્યર્પિત કરવા મામલે ચુકાદો આવી ગયો છે. લંડનની વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે માલ્યાને ભારતમાં પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. વિજય માલ્યાનાં ભારતમાં પ્રત્યાર્પણને મામલે રાજ્ય સચિવને મોકલવામાં આવેલ છે.
સીબીઆઇએ આ ચુકાદાનું સ્વાગત કર્યું છે. આ મામલે 12 સપ્ટેમ્બરે અંતિમ સુનાવણી થઇ હતી. મહત્વનું છે કે વિજય માલ્યા પર ભારતીય બેન્કોનું 9 000 કરોડનું ફુલેકું કરવાનો આરોપ છે.
વિજય માલ્યાનાં ભારતમાં પ્રત્યાર્પણ મામલામાં બ્રિટિશ કોર્ટ પાસેથી મંજૂરી મળ્યાં બાદ સીબીઆઇ વધારે ઉત્સાહિત છે. સીબીઆઇનાં પ્રવક્તાએ આ મુદ્દે કહ્યું કે અમે તેને જલ્દીથી ભારત લાવવાની અને આ મામલાને નિષ્કર્ષ સુધી પહોંચાડવાની આશા કરી રહેલ છે. તેઓએ કહ્યું કે અમે આ કેસ પર વધારે મહેનત કરી છે. અમે તથ્ય અને કાયદાકીય એમ બંને પક્ષોમાં મજબૂત છીએ જેથી પ્રત્યાર્પણ પ્રક્રિયાનું પાલન કરતી વેળાએ અમે વિશ્વસ્ત હતાં.
ભાગેડું વિજય માલ્યાને ભારતમાં તેની વિરૂદ્ધ દેવું થવા મામલે છેતરપિંડી મામલામાં બ્રિટેનથી પ્રત્યાર્પિત કરવાની સ્થિતિમાં મુંબઇની આર્થર રોડ જેલનાં અધિકારીઓએ માલ્યા માટે એક ઉચ્ચ સુરક્ષાવાળી બેરક તૈયાર રાખી દીધેલ છે.
અંદાજે 9000 કરોડ રૂપિયાની છેતરપિંડી અને ધનશોધનનાં આરોપોને લઇને ભારતમાં વાંછિત માલ્યાને સોમવારનાં રોજ લંડનમાં વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં કે જ્યાં માલ્યાનાં પ્રત્યાર્પણ સંબંધી સુનાવણી પર નિર્ણય આપવામાં આવ્યો. ત્યાં બીજી બાજુ લંડનમાં વિજય માલ્યાએ બેંકોનાં દેવાંને પરત કરવા વિશે કહ્યું કે જેમ કે સ્પષ્ટ છે કે આ મામલો કર્ણાટક હાઇકોર્ટની પાસે જઇ રહેલ છે. જેથી હાઇકોર્ટને જ નિર્ણય લેવા દે.