ઈન્ડિયન આઈડલની સીઝન 11 તો ખતમ થઈ ગઈ પરંતુ નેહા કક્કડ અને આદિત્ય નારાયણને લઈને સસ્પેન્સ ખતમ થવાનું નામ જ નથી લેતું. શો દરમિયાન નેહા અને આદિત્ય વચ્ચે જે મેજિકલ કેમિસ્ટ્રી જોવા મળી હતી, તેને લઈને અનેક પ્રકારની અટકળો સામે આવી હતી. એવું કહેવાય રહ્યું હતું કે બંને લગ્ન કરવાના છે. હવે આ બંનેના લગ્ન તો ન થયા પરંતુ શોના વિનર સની હિન્દુસ્તાનીએ બહુ મોટી વાત જરૂર જણાવી.
ઇન્ડિયન આઈડલમાં આદિત્ય-નેહાની કેમિસ્ટ્રી હતી મેજિકલ
A post shared by sunny (@sunny_hindustaniofficial) on
સની હિન્દુસ્તાનીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, એ લોકો પણ નેહા અને આદિત્યના લગ્નને લઈને ઘણાં જ એક્સાઈટેડ હતા. અમે બંનેના લગ્નથી ઘણાં જ ખુશ હતા. અમે તો લગ્નના કપડાં પણ ખરીદી લીધા હતા. નેહા આદિત્યને હાં કહેશે કે નહીં એ જાણ્યા વિના અમે જાન લઈને પણ પહોંચી ગયા હતા.
સની પણ નેહા અને આદિત્યના લગ્ન ન થવા પર દુખી છે. તેણે કહ્યું, નેહા દીએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં જેના કારણે આ લગ્ન થઈ શક્યા નહીં. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન આઈડલ દરમિયાન નેહા અને આદિત્ય વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી હતી, બંને એકબીજાને પ્રેમ કરતાં હતા પરંતુ પછી એવા સમાચાર આવ્યા કે આ બધું ટીઆરપી માટે થઈ રહ્યું હતું.
જોકે, આ સસ્પેન્સને વધારવા સિંગર ઉદિત નારાયણે પણ સાથ આપ્યો હતો. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આદિત્ય અને નેહા લગ્ન કરી લે તો મને બહુ જ ખુશી થશે. તેમણે કહ્યું હતું કે, હું વારંવાર આદિત્યને નેહા સાથે લગ્ન કરવા કહું છું પણ એ મારી વાત સાંભળતો નથી.
ઉદિત નારાયણને તો નેહા પસંદ હતી, પરંતુ આદિત્યએ જણાવ્યું કે આ બધું ટીઆરપી માટે હતું. તેણે આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. જ્યારે નેહાએ ખુલાસો કર્યો હતો કે, આદિત્ય ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરશે. એવામાં સની હિન્દુસ્તાનીની આ વાત આશ્ચર્ય કરાવે એવી છે.