ભગવાન શિવના વિવાહના દિવસે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ઉજવવામાં આવે છે. શિવપુરાણમાં આ ચતુર્દશીને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. આ શિવરાત્રિને મહા એટલા માટે કહેવામાં આવે છે કેમકે શિવરાત્રિ તો દર મહિને આવે છે પરંતુ ફાગણ મહિનાની શિવરાત્રિ વર્ષમાં એક વખત જ આવે છે. મહાશિવરાત્રિનું મહત્વ એટલા માટે છે કેમકે આ દિવસે શિવ અને શક્તિના મિલનની રાત હોય છે. આધ્યાત્મિક રૂપથી તેણે પ્રકૃતિ અને પુરુષના મિલનની રાતના રૂપે બતાવવામાં આવ્યુ છે. આ રાતમા આધ્યાત્મિક શક્તિઓ અધિક રીતે જાગૃત થાય છે એટલે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ રાત ધ્યાન, યોગ અને સાધના વધારે કરવા જોઇએ. આ વર્ષે મહાશિવરાત્રિ 4 માર્ચના છે. આ અવસર પર ઘણા દુર્લભ સંજોગો બની રહ્યા છે જેથી આ દિવસનું મહત્વ પણ વધી જાય છે.
આ વર્ષે મહાશિવરાત્રિ સોમવારના દિવસે આવે છે જેને દુર્લભ સંજોગ માનવામાં આવે છે. સોમવારનો સંબંધ ભગવાન શિવ અને તેમના માથા પર બિરાજમાન ચંદ્રમાની સાથે છે એટલે જ તેમને સોમનાથ પણ કહેવામાં આવે છે. મહાશિવરાત્રિ પર સોમવાર આવવો ભગવાનના ભક્ત માટે શુભ છે. વિવાહ યોગ્ય યુવક-યુવતીઓ આ અવસર પર શિવજીનો અભિષેક દૂધ અને ગંગાજળથી કરે તો તેમના વિવાહના યોગ વધી જાય છે.
મહાશિવરાત્રિના અવસર પર આ વર્ષે નક્ષત્રો અને શ્રેષ્ઠ શ્રવણ નક્ષત્રનો સંયોગ બને છે. આ નક્ષત્રના સ્વામી ચંદ્રમાં છે અને આ પ્રતિક ચિહ્ન ભગવાન વિષ્ણુના વામન અવતારનુ ચરણ ચિહ્ન છે. આ નક્ષત્રમાં ભગવાન શિવની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવી છે. ધન અને સુખની ઇચ્છા રાખનારા શિવભક્તો આ અવસર પર શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરશે તો સમુદ્ઘિ અને ધનવૈભવ વધશે.
આ દિવસે મહાશિવરાત્રિ પર શિવ યોગ બની રહ્યો છે. શિવ યોગમાં શિવજીની પૂજા ઉત્તમ અને શુભફળદાયી માનવામાં આવી છે. મોક્ષની ઇચ્છા રાખનારા મહાશિવરાત્રિના અવસર પર ભગવાન શિવની પૂજામાં દૂધમાં કેસર ભેળવીને અભિષેક કરવો જોઇએ. સુખ-સમુદ્ઘિ માટે ભગવાન શિવને ચોખાનો અર્પિત કરવા જોઇએ જેનાથી આત્માને બળ મળે છે અને તમામ ભયથી મુક્તિ મળે છે.
આ સંજોગો સિવાય પણ મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ઘિ યોગ બની રહ્યો છે જે તમામ પ્રકારના શુભ કર્મોને સફળ બનાવે છે. આ અવસર પર શિવતાંડવ સ્ત્રોત, શિવ સહસ્ત્રનામનો પાઠ કલ્યાકારી સાબિત થશે. આરોગ્ય અને બાધાઓની મુક્તિ રુદ્રાભિષેક કરો તો તેના પ્રભાવથી તમારા તમામ કાર્યો સફળ થશે.