કેન્દ્રએ પોતાના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને રાહત આપનાર પગલુ ઉઠાવ્યુ છે. આગામી જુલાઇથી આ ફાયદો કર્મચારીઓને મળશે.
સરકારી કર્મચારીઓને ફાયદો
પગારમાં થશે વધારો
અનુરાગ ઠાકુરે જ કરી જાહેરાત
આ વાતની પુષ્ટી કેન્દ્રીય નાણારાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે આપી છે. સંસદના ઉચ્ચ સદન રાજ્ય સભાને આપેલા લેખિત જવાબમાં આ વાત કહી છે. ઠાકુરે કહ્યું કે, કેન્દ્રીય કર્મચારીઓની ડીએ અને પેંશનભોગીઓની ડીઆરમાં ફાયદો થશે. સરકારે આ નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 65 લાખ પેન્શનભોગી લાભ લેશે.
ડીએ અને ડીઆરના હપ્તા કોરોના વાયરસને કારણે રોકી દેવામાં આવ્યા હતા. સરકારે આ દરમિયાન 37 હજાર કરોડ રૂપિયાની બચત કરી હતી.
નાણા મંત્રાલયે આ વિશે રાજ્યસભામાં જણાવ્યુ હતુ. સરકારે 37430.08 કરોડ રૂપિયાની બચત કરી છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએ અને ડીઆર વધાર્યા છે. જે કોરોના મહામારીના કારણકે અટકી ગઇ હતી.
મહત્વનું છે કે હાલના સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએનો દર 17 ટકા છે કારણકે સરકારે પ્રસ્તાવિત વધારો જુલાઇ 2021 સુધી અમલમાં લાવવાની ના પાડી હતી. જે વધીને હવે 21 ટકા થઇ જશે.