ઇમરાન ખાનના નિવેદન બાદ ભારતના વિદેશ મંત્રાલયે જડબાતોડ જવાબ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પાકિસ્તાનને આડેહાથ લેતા જણાવ્યું કે પાકિસ્તાન સબુત માગીને તપાસથી બચવાનું નાટક કરે છે.
ઇમરાનના નયા પાકિસ્તાનમાં મંત્રીઓ આતંકી સાથે જોવા મળે છે. જો પાકિસ્તાન ભારત પાસે સબુત માગતું હોય તો. મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે તે જ મોટો પુરાવો છે.
આ ઉપરાંત જણાવ્યું કે ઇમરાનને સાચે જ પગલા લેવા હોય તો અઝહરને ઝડપી પાડે. ભારતે જણાવ્યું કે પાકિસ્તાન દુનિયાને ગેરમાર્ગે ના દોરે અને આતંકવાદ સામે પગલા લઈને દેખાડે.