પ્રવેશોત્સવ બાદ શિક્ષણમત્રીએ સમસેરપુરામાં એક ગરીબ આદિવાસીના ઘરે દેશી ભોજન લીધું. રીંગણ બટાકાનું શાક અને જુવારના રોટલા ,ઘી અને ગોળ જમ્યા
શિક્ષણમંત્રીએ આદિવાસીના ઘરે દેશી ભોજન માણી મોજ
પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ પહોચ્યાં ગામોની મુલાકાતે
બધા વચ્ચે રહેવું એ મારો સ્વાભાવ છે - શિક્ષણમંત્રી
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રવેશોત્સવ માટે નર્મદા જિલ્લામાં આવ્યા હતા. ત્યારે પ્રવેશોત્સવ બાદ શિક્ષણમત્રીએ સમસેરપુરામાં એક ગરીબ આદિવાસીના ઘરે દેશી ભોજન લીધું. અને વૃદ્ધ મહિલાઓના આશીર્વાદ પણ મેળવ્યા હતાં.
મારા માટે આ આદિવાસીઓ એક સમાન: જીતુ વાઘાણી
નર્મદા જિલ્લાના એક ઝુંપડામાં રહેતા એક વિધવાને ત્યાં આવ્યા ત્યારે આ વિધવા મહિલાએ પોતાના ઘરે જમવાનું કહેતા શિક્ષણમંત્રીએ તરત જ એમને જમવાની હા પાડી સાદું ભોજન લીધું હતું.વિટીવી સાથે પણ જીતુ વાઘાણીએ જમતા જમતા વાત કરી અને જેને જણાવ્યું કે મારા માટે આ આદિવાસીઓ એક સમાન છે અને મારે બધા વચ્ચે રહેવું એ મારો સ્વાભાવ છે.
રીંગણ બટાકાનું શાક અને જુવારના રોટલા ખાધા
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રવેશોત્સવ માટે નર્મદા જિલ્લામાં આવ્યા હતા ત્યારે કેવડીયા નજીક નઘાતપોર સમસેરપુરા સહિત ગામોની મુલાકાત કરી પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રવેશ આપવી કાર્યક્રમ બાદ એક સાદગી ભર્યું ભોજન કરવાની વાત કરતા તેઓ રોટલો અને શાક જમ્યા હતા. નર્મદા જિલ્લાના એક ઝુંપડામાં રહેતા એક વિધવ ને ત્યાં આવ્યા ત્યારે આ વિધવા મહિલાએ પોતાના ઘરે જમવાનું કહેતા આ શિક્ષણ મંત્રી એ તરતજ એમને જમવાની હા પાડી અને આ મહિલા એ પોતાના ધરે સાદું ભોજન રીંગણ બટાકાનું શાક અને જુવારના રોટલા ,ઘી અને ગોળ બનાવ્યું અને પ્રેમથી આ મહિલાના ઘરે નીચે બેસી શિક્ષણ મંત્રીએ ભોજન આરોગ્યું હતું.