દિલ્હી બાદ પંજાબમાં મેળવેલી ધમાકેદાર જીત બાદ આપ પાર્ટી હવે દેશના અન્ય રાજ્યોમાં પણ જીત માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે
પંજાબ બાદ AAPની ગુજરાત પર નજર
કેજરીવાલ,ભગવંત માન આવશે ગુજરાત
અમદાવાદ પૂર્વમાં કરશે રોડ શૉ
AAPની પંજાબ બાદ હવે ગુજરાત પર નજર
દિલ્હી બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીને મળેલી ધમાકેદાર જીત બાદ હવે આમ આદમી પાર્ટી નજર હવે ગુજરાત તરફ છે. મહત્વનું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આગામી 2 એપ્રિલે અમદાવાદના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
AAPએ સુરક્ષા વ્યવસ્થા વધારવા પોલીસ સમક્ષ માગ કરી
આ દરમિયાન તેઓ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોડ શો કરી તિરંગા ગૌરવ યાત્રામાં ભાગ લેશે. ત્યારબાદ રે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જશે. બાદ પક્ષના પ્રદેશ સંગઠન અને આગામી વિધાનસભાની ચૂંટણી અંગે કેટલાક મહત્વના નિર્ણયો કરવા માટે પ્રદેશના નેતાઓ સાથે એક બેઠક પણ યોજાશે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસ માટે આવવાના હોઈ આમ આદમી પાર્ટીએ ગુજરાત પોલીસ પાસે વધુ પોલીસની માંગ કરી છે.
મિશન 2022 વિધાનસભાની ચૂંટણીની તૈયારી
તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ હાલમાં પંજાબમાં નવી સરકાર બનાવી છે. પંજાબ બાદ AAPની નજર હવે ગુજરાતમાં છે. ત્યારે હવે AAPના ટોચના નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થશે. આ સાથે જ AAP ભાજપને જોરદાર ટક્કર આપવા વિવિધ રણનીતિ ઘડી રહ્યું છે. પંજાબમાં ચૂંટણી જીત્યા પછી AAPએ કહ્યું હતું કે, દિલ્હી પછી પંજાબ અને હવે ગુજરાતમાં પરિવર્તન લાવીશું.