અરવલ્લી જિલ્લામાં વરસાદના વિરામ બાદ વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું છે. જિલ્લામાં શરદી તાવ તેમજ પાણી જન્ય રોગ જાડા ઉલટી જેવા કેસોમાં વધારો થયો છે.
જેના કારણે જિલ્લાના ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહયા છે. સામાન્ય રીતે વરસાદ બાદ દર વર્ષે આ પ્રકારની બીમારી જોવા મળતી હોય છે.
પરંતુ ચાલુ સાલે આ કેસોમાં વધારો થતાં માત્ર મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં છેલ્લા બે અઠવાડિયા દરમિયાન 500 જેટલા જાડા ઉલટી અને શરદી તાવના કેસો નોંધાયા છે.
ત્યારે વરસાદ બાદ જિલ્લામાં રોગ ચાળાએ માથું ઊંચક્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં પાણી જન્ય રોગ થતા અટકાવવા માટે દવાનો ચંટકાવ તેમજ પાણીનું ક્લોરીનેશન કરાય તેવું જિલ્લા વાસીઓ ઈચ્છી રહ્યા છે.
આ મામલે મોડાસા સાર્વજનિક હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસા બાદ ઉદભવતા વાયરલ ફીવર તેમજ જાડા ઉલટી જેવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આવા કેસોને અમે જરૂરિયાત પ્રમાણે દવા આપીએ છીએ.