4 ઓગસ્ટે મોદી મંત્રીમંડળે OBC કાયદામાં સુધારાને મંજૂરી આપતો ખરડો સંસદમાં લવાયો છે જે લોકસભામાં પાસ થઈ ગયો છે જો રાજ્યસભામાં પાસ થશે તો રાજ્યો બનાવી શકશે OBCનું લીસ્ટ
પાટીદારોની અનામતની અમારી માગ હજુ ઉભી જ છે, સમાજ સાથે ચર્ચા કરીશું-વરૂણ પટેલ
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે લોકસભામાં ઓબીસી સમૂદાયને અનામત આપતું બીલ રજૂ કર્યું હતું જે સર્વસંમતિથી પસાર થઈ ગયું હતું. વિપક્ષોએ પણ આ બીલને પૂરતો ટેકો આપતા સરકારનું કામ સરળ બન્યું હતું. આ બીલ પસાર થયુ હોવાથી હવેથી મહારાષ્ટ્રમાં મરાઠા સમૂદાય, ગુજરાતમાં પટેલ સમૂદાય, હરિયાણામાં જાટ સમૂદાય તથા કર્ણાટકના લિંગાયત સમૂદાયના ઓબીસી વર્ગમાં સામેલ થવાની આશા ફરી જીવંત થઈ છે. જો ગુજરાતની વાત કરીએ તો અનામત મુદ્દે ભૂતકાળમાં મોટા આંદોલન થયા હતા જે બાદ તેમને અન્ય કેટલીક સહાય કરવામાં આવી હતી પણ સંપૂર્ણ અનામતની માંગ ઊભીને ઊભી જ રહી હતી પણ આ બિલ જો પાસ થશે તો પાટીદાર અનામતનો રસ્તો ચોખ્ખો દેખાઈ રહ્યો છે.
ગુજરાતમાં પાટીદાર નેતાઓ સક્રિય
કેન્દ્ર સરકારની OBC કાયદામાં સુધારાની તૈયારી પછી ગુજરાતમાં પાટીદાર નેતાઓ સક્રિય થઈ ગયા છે. અનામત આંદોલનનો મોટો ચહેરો અને હાલમાં ભાજપના નેતા વરૂણ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે પાટીદારોની અનામતની અમારી માગ હજુ ઉભી જ છે, આગળ સમાજ સાથે ચર્ચા કરીશું. મહત્વનું છે કે જો મોદી સરકારે રજૂ કરેલી OBC કાયદામાં સુધારા બીલ લોકસભામાં સર્વાનુમતે પાસ થઈ ગયું છે જો રાજ્ય સભામાં પણ કોઈ અડચણ વગર ખરડો પાસ કરવામાં આવે તો અહવે રાજ્યો OBCનું લીસ્ટ બનાવી શકશે. જો રાજ્યના હાથમાં અનામતનું લીસ્ટ બનાવવામાં આવે તો ગુજરાતના પાટીદારોની વર્ષોથી ચાલી રહેલી અનામતની માગ સંતોષાઈ શકે છે. અને આથી જ ગુજરાતના પાટીદાર આગેવાનો તેમજ ગુજરાત ભાજપના પાટીદાર નેતાઓ સક્રિય થઈ ગયા છે. સમાજ સાથે આગાળાની વ્યુહરચના વિશે વાત કરવાની હામ ભરી રહ્યા છે.
હાર્દિક પટેલનું મોટું નિવેદન
પાટીદાર અનામત આંદોલનનો મોટો ચહેરો અને હાલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે વીટીવી સાથેની ખાસ વાતચીતમાં ઉલ્લેખ કર્યો કે તમામ વિપક્ષે OBC કાયદામાં સુધારાને આવકાર્યો તેમ હું પણ આવકારૂ છું. ગુજરાત સરકાર સામાજિક અને આર્થિક સ્થિતિને સમજી જ્ઞાતિઓનો સર્વે કરે.
કાયદામાં સુધારાથી શું ફરક પડશે?
આ બિલ પસાર થવાથી હવે રાજ્ય સરકારને અધિકાર રહેશે કે રાજ્ય તેના અનુસાર જાતિઓને સૂચિત કરી શકે. સંસદમાં બંધારણના આર્ટિકલ 342-A અને 366 (26) C ના સુધારાને મંજૂરી મળ્યા બાદ રાજ્યોને આ અધિકાર મળ્યો છે. આ અધિકારનો ઉપયોગ કરીને, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસી શ્રેણીમાં સમાવવાની તક મળી શકે છે. તે જાણીતું છે કે આ તમામ જાતિઓ લાંબા સમયથી અનામતની માંગણી કરી રહી છે, જો કે, સુપ્રીમ કોર્ટ તેમની માંગણીઓ પર સ્ટે મૂકી રહી છે. આ બિલ પસાર થયા બાદ હવે આ જાતિઓની માંગણીઓ પૂરી થઈ શકે છે.હકીકતમાં, રાજ્ય સરકારો પોતે OBC ની યાદી નક્કી કરે છે. જ્યારે કેન્દ્રીય સેવાઓ માટે, કેન્દ્ર અલગથી કરે છે. કોર્ટે 5 મેના બહુમતી આધારિત નિર્ણયની સમીક્ષા કરવાની કેન્દ્રની અરજી ફગાવી દીધી હતી, જેમાં 102 મો બંધારણીય સુધારો નોકરીઓ અને પ્રવેશમાં ફરક લાવશે.OBCનું લીસ્ટ બનાવવાનો અધિકાર રાજ્યોને મળે તો કેટલીયે જ્ઞાતિઓનો OBCમાં સમાવેશ થશે.
બિલ પર સુપ્રીમ કોર્ટે મે મહિનામાં લગાવી હતી રોક
સુપ્રીમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં કેન્દ્ર સરકારને જ ઓબીસીનું લિસ્ટ બનાવવાનો અધિકાર આપ્યો હતો. જો કે કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયને સરકારના સંવિધાન સંશોધનની મદદથી બદલવામાં આવી રહ્યો છે. સંસદથી સંવિધાનના અનુચ્છેદ 342-એ અને 366 (26)- સીના સંશોધન પર મહોર લગાવ્યા બાદ રાજ્યોની પાસે ફરીથી ઓબીસી લિસ્ટમાં જાતિને અધિસૂચિત કરવાનો અધિકાર રહેશે. સુપ્રીમ કોર્ટે ગયા મહિને કેન્દ્રની અરજીને નકારી હતી. તેમાં સરકારે કોર્ટને ફરીથી વિચાર કરવા પણ અનુરોધ કર્યો હતો.