બે દિવસથી ચાલી રહી એસ. ટી. કર્મચારીઓની હડતાળનો સુખદ અંત આવ્યો છે. રાજ્યના 45 હજાર એસ.ટી.કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે. રાજ્ય સરકારે પડતર માગણીઓ અંગે ખાતરી આપતા હડતાળનો અંત આવ્યો છે.
મહત્વનું છે કે,ગુજરાત એસટી નિગમના કર્મચારીઓએ સાતમા પગાર પંચ અને પડતર માંગણીઓને લઈ હડતાળ કરી હતી. તેમજ સરકાર જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અચોક્ક્સ મુદ્દતની હડતાળ યથાવત રાખવાનો નિર્ણય યુનિયન દ્વારા કરવામાં આવ્યો હતો. જેને લઈને રાજ્યભરના 8 હજારથી વધુ એસ.ટી.બસના રૂટને અસર થઈ હતી અને લાખો મુસાફરો અટવાયા હતા. ત્ચારે હવે હડતાળ સમેટાતા મુસાફરોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના ST બસના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. આ હડતાળમાં રાજ્યના 45 હજાર જેટલા STના કર્મચારીઓ જોડાયા હતા. કર્મચારીઓની હડતાળના કારણે GSRTCની 8 હજાર જેટલી બસ બંધ હતી. ST બંધ હોવાના કારણે મુસાફરો પરેશાન થયા હતા.