120 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ લાઈગર એ બોક્સ ઓફિસ પર માત્ર 40 કરોડનો જ બિઝનેસ કર્યો છે. હવે વિજય દેવરકોંડાએ આ નુકસાનની ભરપાઈ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે.
લાઈગર ફિલ્મનો જાદુ બોક્સ ઓફિસ પર ન ચાલી શક્યો
આવનારી ફિલ્મ માટે વિજય દેવરાકોંડા અને પુરી જગન્નાથે ભર્યું મોટું પગલું
ફિલ્મ 'જન ગણ મન' નું બજેટ અડધું કરી દેવામાં આવ્યું
લાઈગર આ વર્ષની ખૂબ રાહ જોવાતી ફિલ્મોમાંની એક હતી. જો કે આ ફિલ્મનો જાદુ બોક્સ ઓફિસ પર ચાલી શક્યો નથી. વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગરના ટ્રેલરને લોકોએ ઘણું પસંદ કર્યું હતું. આ ઉપરાંત વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેએ પણ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી નહતી અને લાઈગરને ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. છતાં પણ ફિલ્મનો કમાણીનો ગ્રાફ ઝડપથી નીચે આવ્યો હતો.
બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી ફિલ્મ
120 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 40 કરોડનો જ બિઝનેસ કર્યો છે. હવે વિજય દેવરકોંડા અને ફિલ્મના ડિરેક્ટર પુરી જગન્નાથે આ નુકસાનની ભરપાઈ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ફિલ્મ લાઈગર ફ્લોપ થયા પછી દેવરકોંડાને હવે તેની આવનારી ફિલ્મ 'જન ગણ મન'ને લઈને ચિંતામાં મુકાયા છે. એ ફિલ્મ પણ પૂરી જગન્નાથ ડિરેક્ટ કરી રહ્યા છે. લાઈગરના ફ્લોપ થયા પછી આ બંનેએ તેની આવનારી ફિલ્મ માટે મોટું પગલું ભર્યું છે.
વિજય દેવરકોંડા અને પુરી જગન્નાથે ભર્યું આ પગલું
વિજય દેવરાકોંડા અને પુરી જન્નનાથ લાઈગરના મેકર્સ માટે નુકસાનની ભરપાઈ કરવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિજય દેવરાકોંડા અને નિર્દેશક પુરી જગન્નાથે આગામી ફિલ્મ 'જન ગણ મન' માટે ફી ન લેવાનો નિર્ણય કર્યો છે.
ફિલ્મનું બજેટ થયું અડધું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ 'જન ગણ મન' નું બજેટ અડધું કરી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં લાઈગરના ફ્લોપ જવા પર આ ફિલ્મની વાર્તા પર પણ ફરી એક વખત વિચાર કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે વિજય દેવરકોંડા પહેલા પુરી જગન્નાથે આ ફિલ્મ મહેશ બાબુને ઓફર કરી હતી પણ કોઈ કારણોસર ફિલ્મમાં બંને સાથે કામ કરી શક્યા નહતા. લાઈગરના ફિલ્મની શૂટિંગ સમયે 'જન ગણ મન'ની વાર્તા પુરી જગન્નાથે વિજય દેવરાકોંડાને સંભળાવી હતી અને એ પછી તેને આ ફિલ્મ કરવા માટે હામી ભરી હતી.
જણાવી દઈએ કે ફિલ્મ 'જન ગણ મન' હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં આવતા વર્ષે 3 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.