ભાવનગરમાં સુભાષનગરમાં રહેતો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. ચીનથી પરત આવ્યા બાદ કોરોનાગ્રસ્ત પિતા બાદ દિકરી પણ કોરોના પોઝિટિવ આવી છે. જ્યારે 2 વર્ષની દિકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
ભાવનગરમાં કોરોનાગ્રસ્ત પિતા બાદ દિકરી પણ કોરોના પોઝિટિવ
રેપીડ ટેસ્ટ બાદ RTPCR રિપોર્ટ પણ આવ્યા બંને ના પોઝીટીવ
હાલ પિતા અને પુત્રીના ટેસ્ટ સેમ્પલ ગાંધીનગર તપાસ માટે મોકલાયા
ચીન સહિત અન્ય દેશોમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. ત્યારે ભારત સરકાર દ્વારા કોરોનાથી સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ હાથ ધરી દીધી છે તો બીજી તરફ તમામ રાજ્યો દ્વારા પણ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા, ઓક્સિજન સહિતની તૈયારીઓ કરી લીધી છે. સરકાર દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. તેમજ લોકોને સાવચેતી રાખવા કહ્યું છે.
ભાવનગરમાં સુભાષનગરમાં રહેતો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. ચીનથી પરત આવ્યા બાદ કોરોનાગ્રસ્ત પિતા બાદ દિકરી પણ કોરોના પોઝિટિવ આવી છે. જ્યારે 2 વર્ષની દિકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ચીનથી પરત આવ્યા બાદ અગાઉ પિતાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. રેપીડ ટેસ્ટ બાદ RTPCR રિપોર્ટ પણ બંનેના પોઝિટિવ આવવા પામ્યા છે. હાલ પિતા અને પુત્રીનાં ટેસ્ટ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.
ચીનમાં કોરોનાથી સર્જાયેલી તબાહી વચ્ચે ભારતમાં પણ ચિંતા વધી છે. ચીનથી ગુજરાતના ભાવનગર પરત ફરેલા એક વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો છે. હવે તેમના સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે. 34 વર્ષીય બિઝનેસમેન કામ માટે ચીન ગયા હતા. 19 ડિસેમ્બરે ભારત પરત ફર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાં તે પોઝિટવ નીકળ્યો હતો.
બે દિવસ પહેલા ચીનથી ભાવનગર આવ્યો હતો
ભાવનગરમાં ચીનથી આવેલા બિઝનેસમેનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પીડિત યુવકને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આ યુવાનના પોઝિટિવ લક્ષણો જણાતા બીએફ.7 ટેસ્ટ માટે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યું છે. બે દિવસ પહેલા એક 34 વર્ષીય યુવક ચીનથી ભાવનગર આવ્યો હતો. તેની સાથે ફ્લાઇટમાં આવેલા લોકોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. યુવક શાંઘાઈ, હોંગકોંગ અને મુંબઈ થઈને ભાવનગર આવ્યો હતો.
ભારતમાં BF.7 વેરિએન્ટના 4 કેસ
ભારતમાં અત્યાર સુધીમાં BF.7 વેરિએન્ટના 4 કેસ મળી આવ્યા છે. જેમાંથી ત્રણ ગુજરાતમાં મળી આવ્યા હતા. જો કે, ભારતમાં મળી આવેલા કોઈ પણ દર્દીમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. BF.7 વેરિયન્ટ ચીનમાં હાલની લહેર માટે જવાબદાર હોવાનું કહેવાય છે. આ વેરિએન્ટે ચીનમાં ભારે તબાહી મચાવી છે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોના મોત પણ થઈ રહ્યા છે.
વિદેશથી આવતા લોકોનું રેન્ડમ સેમ્પલિંગ શરૂ
આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ પણ શરૂ કરવામાં આવ્યા છે. અમે આ રોગચાળા માટે પ્રતિબદ્ધ છીએ અને આ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. બધાએ સમજવાની જરૂર છે કે કોરોના મહામારી હજુ પૂરી થઈ નથી. આપણે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવો જોઈએ અને સાવચેત રહેવું જોઈએ.