લતા મંગેશકરના નિધન બાદ બોલીવૂડમાં ઉસાદી છવાઈ ગઈ છે. મોટા ભાગના એક્ટરો ટ્વીટર પર ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.
લતા મંગેશકરના અવસાન બાદ બોલિવૂ઼ડમાં ગમગીની
ટ્વીટર પર ટ્વીટ કરીને સેલેબ્રીટીઓએ શ્રદ્ધાંજલી આપી
અક્ષય કુમાર અને અનીલ કપૂરે પણ શ્રદ્ધાંજલી આપી
વહેલી સવારે લતા મંગેશકરનું આજે નિધન થયું. તેમને ભારતની સ્વર કોકિલાના સ્વરૂપે પણ ઓળખવામાં આવતા હતા. કોરોનાના કારણે તેમનનું સ્વાસ્થ્ય લથડી પડ્યું અને તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે આજે વહેલી સવારે 92 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. જોકે તેમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ બોલીવુંડ આખું શોકમાં ગરકાવ થઈ ગયું છે.
Meri Awaaz Hi Pehchaan Hain, Gar Yaad Rahe…and how can one forget such a voice!
Deeply saddened by the passing away of Lata Mangeshkar ji, my sincere condolences and prayers. Om Shanti 🙏🏻
અક્ષય કુમારે લતા મંગેશકરના નિધનથી ઘણા દુખી છે. ટ્વીટ કરીને અક્ષયે કહ્યું કે "મારી અવાજની ઓળખ છે...અને આવો અવાજ કોણ ભૂલી શકે સાથેજ તેમણે કહ્યુ કે લતા મંગેશકરના નિધનથી તેઓ ઘણા દુખી છે. સાચી સંવેદના અને પ્રાર્થના. ઓમ શાતિ"
She sounded like an angel and now she becomes one.
Rest in peace Lata Didi.
Everlasting Peace.#LataMangeshkar
બોમન ઈરાનીએ પણ તેમને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી જેમા તેમણે કહ્યું કે " તેઓ એક પરીની જેમ અલગ લાગી રહ્યા હતા અને હવે તેઓ તેમના એક થઈ ગયા. શાંતિ લતા દીદીની આત્માને શાંતી મળે ચિરસ્થાયી શાંતી"
Hoping against hope that this is not true. If it is....I dont even have the words to express the loss and grief. #LataMangeshkar ji ki awaaz India ki pehchaan hai, aur hamesha rahegi. pic.twitter.com/nmCWeWdRhr
વિશાલ ડાડલાનીએ પણ લતા મંગેશકર માટે ટ્વીટ કરીને કહ્યું કે "આશાની વિરુદ્ધ આશા કરવી એ સાચુ નથી, સાથેજ તેમણે કહ્યું કે મારી પાસે આ નુકશાન અને દુખને વ્યક્ત કરવા કોઈ શબ્દ નથી. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે લતા મંગેશકરનો અવાજ દેશની ઓળખ છે. અને હંમેશા રહેશે"
શંકર મહાદેવન
શંકર મહાદેવને ટ્વીટ કરીને કહ્યું કે " લતા મંગેશકર હંમેશા રહેશા આશીર્વાદ આપજો દીદી
નિમ્રત કોર
નિમ્રત કોરે કહ્યું કે ભારતે તેનો અવાજ ગુમાવ્યો છે. હવે બીજી લતા મંગેશકર નહી બની શકે.
Heartbroken, but blessed to have known & loved this incredible soul...Lataji holds a place in our hearts that will never be taken by anyone else. That's how profoundly she has impacted our lives with her music.
May she rest in peace & light up the heavens with her brightness 🙏🏻 pic.twitter.com/HjgIQyE7mo
અનીલ કપુરે કહ્યુકે દિલ તૂટી ગયું. પરંતુ એ અવિશ્વસનીય આત્માને જાણવા અને પ્રેમ કરવા હું ધન્ય છું. લતાજી આપણા મનમાં એવી જગ્યા રાખે છે જે કયારેય કોઈ નહી લઈ શકે. તેમના સંગીતથી તેમણે આપણા જીવમાં ઉંડો પ્રભાવ નાખ્યો છે. તેઓ શાંતિથી આરામ કરે અને તેમની ચમકથી આકાશને રોશન કરે.
હંસલ મહેતા
હંસલ મહેતાએ ટ્વીટ કરીને કહ્યું કે કોકિલા ચાલે છે. સ્વર્ગ ધન્ય છે.બીજા લતાજી ક્યારેય નહી થાય
વેંટિલેટર પર હતા લતા તાઈ
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે તેમની તબિયતમાં સુધાર દેખાઈ રહ્યો હતો. જોકે ગઈકાલે તેમની તબીયત લથડી પડી અને તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમને મળવા માટે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મનસે પ્રમુખ રાજ ઠાકરે, મધુર ભંડારકર સહિત મોટી હસ્તીઓ ગઈ હતી. જોકે આજે સવારે તેમણે દુનિયાને અલવીદા કહી દીધું જેથી સમગ્ર દેશ આજે શોકમગ્ન થઈ ગયો છે.