ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઇતિહાસમાં આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ઐતિહાસિક તળિયે પહોંચી ગયું છે...કોંગ્રેસના કેટલાક એવા પણ ગઢ હતા જે આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસે ગુમાવવા પડ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઇતિહાસમાં કોંગ્રેસનું પ્રદર્શન ઐતિહાસિક તળિયે
કોંગ્રેસે આઝાદી બાદ પહેલીવાર ગઢ ગુમાવવા પડ્યા
ગયા વર્ષે 77 બેઠક જીતેલી કોંગ્રેસ આ વખતે 17 બેઠક જીતી શકી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઇતિહાસમાં આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ઐતિહાસિક તળિયે પહોંચી ગયું છે...કોંગ્રેસના કેટલાક એવા પણ ગઢ હતા જે આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસે ગુમાવવા પડ્યા છે...ગયા વર્ષે 77 બેઠક જીતેલી કોંગ્રસ આ વખતે માત્ર માંડ 17 બેઠક જીતી શકી છે...ત્યારે પરાજયના કારણો જાણવા માટે કોંગ્રેસે મનોમંથન બેઠકોનો દૌર શરૂ કરી દીધો છે...ત્યારે પ્રથમ તબક્કામાં જ કોંગ્રેસને પોતાના જ નેતાઓ પાસેથી હારના કેવા જાણવા મળ્યા કારણો જોઈએ.
હારના કારણોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે
વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે ધોબી પછાડ ખાધી છે...ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઇતિહાસમાં આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ઐતિહાસિક તળિયે પહોંચી ગયું છે...વર્ષોથી ચૂંટાતા કોંગ્રેસના અનેક દિગ્ગજોએ હારનો સામનો કરવો પડ્યો છે...તો કોંગ્રેસના કેટલાક એવા પણ ગઢ હતા જે આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસે ગુમાવવા પડ્યા છે...ગયા વર્ષે 77 બેઠક જીતેલી કોંગ્રસ આ વખતે માત્ર માંડ 17 બેઠક જીતી શકી છે...ત્યારે પરાજયના કારણો જાણવા માટે કોંગ્રેસે મનોમંથન બેઠકોનો દૌર શરૂ કરી દીધો છે...ગુજરાત કોંગ્રેસની ગઈકાલે અને આજે એમ બે દિવસ કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં વિજેતા ધારાસભ્યો અને હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી હારવાના કારણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઝોન મુજબ હારના કારણોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
રઘુ દેસાઈએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો
આમ ગુજરાત કોંગ્રેસ હારના કારણોનું મંથન કરવા આંતરિક અને બાહ્ય કારણો શોધી રહી છે...પરંતુ કોંગ્રેસે પોતાની હાર માટે બાહ્ય કારણો શોધવાના બદલે આંતરિક પરિબળો પર મંથન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે... કેમકે, કોંગ્રેસની હાર માટે કોંગ્રેસના રાધનપુરના પરાજિત ઉમેદવાર રઘુ દેસાઈએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો છે... રઘુ દેસાઈએ પોતાની હાર માટે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને તેમના સહયોગીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે... જેનો જવાબ જગદીશ ઠાકોરે કંઈક આ રીતે આપ્યો છે...
આમ, હવે જ્યારે કોંગ્રેસે હાર માટે કારણોની શોધ કરવાનું મંથન શરૂ કર્યું છે ત્યારે પ્રથમગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો છે... કેમ કે હારના કારણો માટે પોતાના જ લોકો પક્ષના વડાઓને જ જવાબદાર ઠેરવી રહ્યા છે...ત્યારે હવે જોવાનું એ રહેશે કે, કોંગ્રેસ માટે મંથન કરવાનો કોઈ નવો જ વિષય ઉદભવે છે કે કેમ