ટીમ ઈન્ડિયાનું ફરી એકવાર વર્લ્ડ ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું હતું. જો કે હવે આ હાર બાદ ભારતીય ટીમમાં ફેરફારની ચર્ચા કરવામાં આવી રહી છે
હાર બાદ ભારતીય ટીમમાં ફેરફારની ચર્ચા કરવામાં આવી રહી છે
ટીમ ઈન્ડિયાને નવી ઓપનર બેટ્સમેન મળી હતી
શેફાલી વર્મા ન બતાવી શકી સારું પ્રદર્શન
આઇસીસી વુમન્સ ટી-20 વર્લ્ડ કપ 2023માં ભારતને ઓસ્ટ્રેલીયા સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે કેપટાઉનમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે 173 રનના ટાર્ગેટ મળ્યો હતો જએની સામે નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે ટીમ ઈન્ડિયા 167 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે જ ટીમ ઈન્ડિયાનું ફરી એકવાર વર્લ્ડ ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું હતું. જો કે હવે આ હાર બાદ ભારતીય ટીમમાં ફેરફારની ચર્ચા કરવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં ટીમમાં કયા નવા ખેલાડીઓ આવી શકે છે અને ભારતીય ટીમમાં કોનું સ્થાન નિશ્ચિત થઈ શકે છે એ વિશે જાણીએ.
ટીમ ઈન્ડિયાને નવી ઓપનર બેટ્સમેન મળી હતી
જણાવી દઈએ કે મહિલા T20 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકામાં અંડર-19 T20 વર્લ્ડ કપ રમાયો હતો, જે ભારતે જીત્યો હતો. એ જીતમાં ટીમ ઈન્ડિયાને નવી ઓપનર બેટ્સમેન મળી હતી જેનું નામ છે શ્વેતા સેહરાવત. નોંધનીય છે કે કેપ્ટન શેફાલી વર્મા સાથે મળીને શ્વેતા સેહરાવતે ટૂર્નામેન્ટમાં ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. શ્વેતા એ 7 મેચમાં 100ની એવરેજથી 297 રન બનાવ્યા હતા.
શેફાલી વર્મા ન બતાવી શકી સારું પ્રદર્શન
અંડર-19 T20 વર્લ્ડ કપમાં જે પ્રદર્શન બતાવ્યું હતું એ પ્રદર્શન શેફાલી વર્મા સિનિયર ટીમ સાથે પુનરાવર્તન કરી શકી નથી. આવી સ્થિતિમાં, શેફાલી વર્માના ટીમમાં સ્થાનને લઈને પ્રશ્ન ઉભો થયો છે. તેની સામે શ્વેતા સારી રમત રમતી રહે તો ટૂંક સમયમાં સ્મૃતિ મંધાના સાથે સિનિયર ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતી જોવા મળી શકે છે.
ટીમ મેનેજમેન્ટે અંજલિ શર્વનીને તક આપવી જોઈતી હતી
આ સાથે જ આ મેચમાં પૂજા વસ્ત્રાકર બીમારીના કારણે મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમી શકી હતી. સાથે જ રેણુકા સિંહ ઠાકુર પણ કોઈ ખાસ રમત નહતી દેખાડી શકી જેના કારણે ભારતને નુકસાન સહન કરવું પડ્યું હતું. જો કે મેચ હાર્યા પછી એ ચર્ચા ચાલી રહી છે કે પૂજાની જગ્યા પર ટીમ મેનેજમેન્ટે અંજલિ શર્વનીને તક આપવી જોઈતી હતી. જણાવી દઈએ કે અંજલિની હાજરી ટીમની બોલિંગમાં ઘણા ફેરફાર લાવે છે. સાથે જ જણાવી દઈએ કે અંજલિએ 2 મહિના પહેલા ઓસ્ટ્રેલિયા સામે T20 ડેબ્યૂ કર્યું હતું અને એ સમયથી અત્યાર સુધી 6 ટી20માં 3 વિકેટ ઝડપી છે.
અમનજોત કૌર છે ધાકડ ઓલરાઉન્ડર
જણાવી દઈએ કે ઓલરાઉન્ડર અમનજોત કૌરે ગયા મહિને જ ભારત માટે T20 ડેબ્યૂ કર્યું છે. અમનજોત કૌરે અત્યાર સુધી ઘરેલુ ક્રિકેટમાં તેની રમતથી ઘણો પ્રભાવિત કર્યો છે. શરૂઆત કરવા સિવાય તે ફિનિશરની ભૂમિકા પણ ભજવી શકે છે. મહત્વનું છે કે અમનજોત કૌરને ડેબ્યૂમાં તેની શાનદાર ઇનિંગ્સ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવી હતી.