ભારતીય ફાસ્ટ બોલરોએ શ્રીલંકા સામેની બીજી T20 મેચમાં કુલ 7 નો બોલ ફેંક્યા હતા જેમાં એકલા અર્શદીપ સિંહે 5 નો બોલ ફેંક્યા હતા.
શ્રીલંકા સામે 7 નો બોલ ફેંકવામાં આવ્યા
અર્શદીપ સિંહે 5 નો બોલ ફેંક્યા
હાર બાદ હાર્દિક પંડ્યા બરાબરનો ભડક્યો
નબળી બોલિંગ અને પછી નબળી બેટિંગના કારણે ભારત શ્રીલંકા સામે બીજી T20 મેચ હારી ગયું. આ સાથે 3 મેચની સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે. બીજી મેચમાં શ્રીલંકા સામે 16 રનથી હાર્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા અર્શદીપ સિંહ પર બરાબરનો ભડક્યો હતો.
અર્શદીપ પર કેપ્ટનના ગુસ્સાનું કારણ તેનો નો બોલ હતો, જેને કેપ્ટને ક્રાઈમ ગણાવ્યો હતો. અર્શદીપ સિંહ સહિત ભારતીય ફાસ્ટ બોલરોએ કુલ 7 નો બોલ ફેંક્યા હતા. જેમાં એકલા અર્શદીપે 5 નો બોલ ફેંક્યા હતા.
ક્રાઈમ છે નો બોલ
ત્યાં જ ઉમરાન મલિક અને શિવમ માવીએ એક-એક નો બોલ ફેંક્યો હતો. હાર બાદ પંડ્યાએ કહ્યું કે પાવરપ્લેમાં બોલિંગ અને બેટિંગ બંને અમારા માટે ખરાબ હતા. અમે કેટલીક બેસિક ભૂલો કરી છે જે ન થવી જોઈતી હતી.
કેપ્ટને વધુમાં કહ્યું કે તમારો દિવસ ખરાબ હોઈ શકે છે, પરંતુ બેસિક બાબતોથી દૂર ન જવું જોઈએ. અર્શદીપે અગાઉ પણ નો બોલ ફેંક્યો હતો. આ કોઈને દોષ આપવા વિશે નથી, પરંતુ નો બોલ ક્રાઈમ છે.
અર્શદીપે આપ્યા રન
બીજી ટી20માં અર્શદીપે માત્ર 2 ઓવર નાંખી જેમાં તેણે 18.50ની ઈકોનોમી સાથે 37 રન બનાવ્યા. અર્શદીપના નામે એક જ ઈન્ટરનેશનલ ટી20 મેચમાં સૌથી વધુ નો બોલ નાખવાનો શરમજનક રેકોર્ડ પણ નોંધાયેલો છે. મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસે 52 રન અને દાસુન શનાકાએ અણનમ 56 રન બનાવ્યા હતા.