ડાયમંડ નગરી સુરતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે, મ્યુકોર્માઇકોસિસે દસ્તક દેતા ચિંતામાં વધારો થયો છે.
કોરોનાના રહેર વચ્ચે નવા રોગે મૂકી માઝા
મ્યુકોર્માઇકોસિસના દર્દીઓ વધ્યા
સુરતમાં મ્યુકોર્માઇકોસિસથી એકનું મૃત્યુ
મહત્વનું છે કે, રાજ્યના મહાનગરોમાં ધીમે-ધીમે કોરોનાનો કહેર ઓસરી રહ્યો છે. સુરતમાં એકસમયે રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. ત્યારે બીજી તરફ હવે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે મ્યુકોર્માઇકોસિસે માથું ઊંચકતા ફરી ચિંતા વધી છે.
મ્યુકોર્માઇકોસિસના 100થી વધુ દર્દીઓ નોંધાતા હડકંપ
મળતા અહેવાલો પ્રમાણે, સુરતમાં હાલ મ્યુકોર્માઇકોસિસ રોગના 100થી વધુ દર્દીઓ નોંધાયા છે. તો 1 દર્દીનું મ્યુકોર્માઇકોસિસને લીધે મૃત્યું પણ થયું હોવાનું સામે આવ્યું છે. જેને પગલે સુરતી લાલાઓમાં કોરોનાની સાથોસાથ મ્યુકોર્માઇકોસિસે પણ ચિંતા વધારી છે.
જીવલેણ સાબિત થાય છે ફંગસ
ઉલ્લેખનીય છે કે, કોરોનામાં અપાતા સ્ટિરોઈડને કારણે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટવાને લીધે આંખ-નાક, મગજમાં ફંગસ થાય છે. આ ફંગસ જીવલેણ પણ સાબિત થઇ શકે છે.
શું છે મ્યુકોર્માઇકોસિસ?
આ ફંગલની ઘાતક વાત એ છે કે આ આંખની નીચે જ્યાં સરદી ભરાતા હોય છે જેને મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે.
મ્યુકોર્માઇકોસિસના લક્ષણો
આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.
Mucormycosis કોને વધુ થવાની શક્યતા
જેમની ઉંમર 40 કરતાં વધુ છે, જેઓ હાલમાં જ કોવિડ-19થી રિકવર થયા છે અથવા જેમને ડાયાબિટિસ અથવા અન્ય કો-મોર્બિડિટી છે તેમને આ ઈન્ફેક્શન થવાનું જોખમ વધારે રહે છે. કોઈ પણ મુખ્ય લક્ષણો દેખાય કે તરત જ ENT સર્જન અથવા નિષ્ણાતનો સંપર્ક કરવો જરૂરી છે.
Mucormycosis ની સારવાર શું
શંકાસ્પદ દર્દીને સીટી સ્કેન અથવા MRI અથવા અન્ય ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. જો ફંગલ ઈન્ફેક્શન થયું હોવાની જાણ થાય તો સેમ્પલ લેવામાં આવે છે અને તેને બાયોપ્સી માટે મોકલાઈ છે.
MRI સ્કેનથી નિષ્ણાતો ફંગલ ગ્રોથની હદ ચકાસે છે
નિષ્ણાતો દર્દીઓની સારવાર માટે એમ્ફોટેરિસિન બી ડીઓક્સીકોલેટ ઈન્જેક્શન જેવી સારવારનો ઉપયોગ કરે છે. ઈન્જેક્શનની કિંમત 2500થી 3 હજાર રૂપિયા છે. જેને સતત 15થી 21 દિવસ સુધી દિવસ દરમિયાન છ વખત લેવા પડે છે. અન્ય સારવારને પણ અપનાવવામાં આવે છે.