રાજ્યમાં એક તરફ કોરોનાએ તરખાટ મચાવ્યો છે તો બીજી તરફ ફરી એકવાર મ્યુકોર્માઇકોસિસ દસ્તક દેતા ચિંતામાં વધારો થયો છે.
કોરોનાના કહેર વચ્ચે મ્યુકોર્માઇકોસિસનો રોગ
સાજા થયેલા લોકોને મ્યુકોર્માઇકોસિસ થયો
એક વ્યક્તિએ આંખની દ્રષ્ટિ ગુમાવી
મળતી જાણકારી પ્રમાણે, વડોદરાના 2 લોકો મ્યુકોર્માઇકોસિસ રોગનો શિકાર બન્યા હતા. આ લોકો પહેલા કોરોનાથી સંક્રમિત થયેલા હતા અને ત્યારબાદ મ્યુકોર્માયકોસિસ રોગના શિકાર થયાં હતા.
વડોદરામાં 2 લોકો બન્યા મ્યુકોર્માઇકોસિસનો શિકાર
મકરપુરા અને કારેલીબાગ વિસ્તારમાં રહેતા પ્રૌઢે મ્યુકોર્માઇકોસિસ રોગના લીધે આંખની દ્રષ્ટી ગુમાવી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી જવા પામ્યો હતો. સાથે લોકોમાં કોરોનાના ડર સાથે આ રોગને લીધે ચિંતા વધી હતી.
થોડા સમય પહેલા પણ જોવા મળ્યો હતો મ્યુકોર્માઇકોસિસ
ઉલ્લેખનીય છે કે, 2020ના ડિસેમ્બર માસમાં પણ આ રોગનો શિકાર કેટલાક લોકો બન્યા હતા. આ રોગમાં મૃત્યુ દર 50 ટકા જેટલો હોવાનું ડોક્ટરોનું કહેવું હતું અને અમદાવાદ શહેરમાં 64 દર્દીઓને મ્યુકોર્માઇકોસિસ થયો હતો.
મ્યુકોર્માઇકોસિસ
આ ફંગલની ઘાતક વાત એ છે કે આ આંખની નીચે જ્યાં સરદી ભરાતા હોય છે જેને મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે.
મ્યુકોર્માઇકોસિસના લક્ષણો
આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.
Mucormycosis કોને વધુ થવાની શક્યતા
જેમની ઉંમર 40 કરતાં વધુ છે, જેઓ હાલમાં જ કોવિડ-19થી રિકવર થયા છે અથવા જેમને ડાયાબિટિસ અથવા અન્ય કો-મોર્બિડિટી છે તેમને આ ઈન્ફેક્શન થવાનું જોખમ વધારે રહે છે. કોઈ પણ મુખ્ય લક્ષણો દેખાય કે તરત જ ENT સર્જન અથવા નિષ્ણાતનો સંપર્ક કરવો જરૂરી છે.
Mucormycosis ની સારવાર શું
શંકાસ્પદ દર્દીને સીટી સ્કેન અથવા MRI અથવા અન્ય ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. જો ફંગલ ઈન્ફેક્શન થયું હોવાની જાણ થાય તો સેમ્પલ લેવામાં આવે છે અને તેને બાયોપ્સી માટે મોકલાઈ છે.
MRI સ્કેનથી નિષ્ણાતો ફંગલ ગ્રોથની હદ ચકાસે છે
નિષ્ણાતો દર્દીઓની સારવાર માટે એમ્ફોટેરિસિન બી ડીઓક્સીકોલેટ ઈન્જેક્શન જેવી સારવારનો ઉપયોગ કરે છે. ઈન્જેક્શનની કિંમત 2500થી 3 હજાર રૂપિયા છે. જેને સતત 15થી 21 દિવસ સુધી દિવસ દરમિયાન છ વખત લેવા પડે છે. અન્ય સારવારને પણ અપનાવવામાં આવે છે.