25 ઓકટોબરના રોજ શિક્ષકોને ખાદી ખરીદવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં રેકોર્ડ બ્રેક 4 કરોડના ખાદી વેચાઈ
ગુજરાતના ઈતિહાસની પ્રથમ ઘટના
એક જ દિવસમાં 1 લાખ 17 હજાર મીટર ખાદીનું કાપડ વેચાઈ ગયું
હવે ત્રણ મહિના સુધી ખાદી ખરીદી પર સરકાર તરફથી વળતર મળશે
શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ દરેક શિક્ષક સપ્તાહમાં એક વખત ખાદી પહેરી શાળાએ જશે એ માટે 25 ઓકટોબરના રોજ સામૂહિક ખાદીની ખરીદી શિક્ષકો દ્વારા મોટા પાયે કરવામાં આવી હતી.
આવનાર 90 દિવસ સુધી મળશે ખાદી ખરીદી પર વળતર
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેર કરેલા આંકડા મુજબ એક લાખ સત્તર હજાર મીટર ખાદીનું વેચાણ આ એક જ દિવસમાં થયું છે જેની કિમત 4 કરોડ રૂપિયા આંકી શકાય જે રાજયના ખાદી ઉદ્યોગ માટે ઐતિહાસિક કહી શકાય કે પ્રથમ વખત રેકોર્ડ તોડ ખાદીનું વેચાણ એક જ દિવસમાં થયું છે આ પ્રથમ ઘટના છે. શિક્ષણ વિભાગના કર્મચારી શિક્ષક પ્રોફેસર સહિતના તમામ સ્ટાફને જીતુ વાઘાણીએ આ માટે અભિનંદન આપ્યા છે. સાથે જ એક અગત્યની જાહેરાત કરતાં કહ્યું હતું કે ખાદીની ખરીદી પર સરકાર વળતર આપી રહી છે આ વળતર પહેલા 1 મહિના માટે વળતરની જાહેરાત થઈ હતી જે બાદ આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય બાદ આગામી 90 દિવસ સુધી એટલે કે હવે ત્રણ મહિના સુધી ખાદી ખરીદી પર સરકાર તરફથી વળતર મળશે. આનાથી ખાદીના વેચાણમાં ધરખમ વધારો થશે.
શિક્ષકોએ એક દિવસમાં રેકોર્ડ બ્રેક ખાદીની ખરીદી કરી
સરકારના ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશનના સૂત્રને શિક્ષકોએ સાર્થક કરી બતાવ્યું છે. શિક્ષણ મંત્રીએ કરેલા સપ્તાહમાં એક દિવસ ખાદી પહેરવાના પરિપત્રના કારણે મોટી સંખ્યામાં શિક્ષકો ખાદી ખરીદવા પહોંચી ગયા હતા. જેને કારણે ખાદી સંસ્થાઓ પર શિક્ષકોની ભીડ જોવા મળી હતી. 25 ઓકટોબરના રોજ અત્યાર સુધીના ઈતિહાસ પ્રથમ વખત 1,17,000 મીટર ખાદી ખરીદાઈ હતી અને પહેરાઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ ખાદી પહેરે છે અને પહેરવા લોકોને આગ્રહ પર કરે છે
ગાંધી જયંતિ અને રાજ્યના શિક્ષણમંત્રીના ખાદી ખરીદવાના આહવાનને પગલે ચાલુ માસમાં ખાદીના વેચાણમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે. નર્મદાના કેવડિયા ખાતે પૂર્વ વનમંત્રી શબ્દસરણ તડવી દ્વારા ખાદીગ્રામ ઉધોગ સંચાલિત ખાદી ભંડાર શરૂ કરવામાં આવ્યું છે.આ ખાદી ભંડારના કેન્દ્ર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આજે પણ તેમના કુર્તા માટે કાપડ મોકલવામાં આવે છે. શિક્ષણમંત્રીના આહવાન બાદ સ્કૂલ બોર્ડે પણ પરિપત્ર કરી સપ્તાહમાં એકવાર ખાદી પહેરવા સ્ટાફને જણાવ્યું છે. જેથી મોટી સંખ્યામાં શિક્ષકો ખાદી ભંડારમાં ખાદી ખરીદી કરવા પહોંચ્યા હતા.હાલ ખાદીમાં પણ અનેક પ્રકારની વિવિધતા અને ફેન્સી આઇટમો આવે છે જેને કારણે યુવાનોમાં પણ ખાદીને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે.