18 ઓગસ્ટથી ઝિમ્બાબ્વે સામે શરૂ થઈ રહી ODI સિરીઝ માટે પહેલા ટીમના કેપ્ટનને બદલવામાં આવ્યા હતા અને હવે આ માટે સિરીઝ માટે કોચ પણ બદલવામાં આવ્યા છે.
18 ઓગસ્ટથી ઝિમ્બાબ્વે સામે શરૂ થઈ રહી ODI સિરીઝ કેપ્ટન કેએલ રાહુલ
પહેલા શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા
હવે ઝિમ્બાબ્વે સામેની મેચના કોચ પણ બદલાયા
ભારતનો ઝિમ્બાબ્વે ટુર શરૂ થવામાં એક અઠવાડિયુ બાકી છે અને એ પહેલા જ ટીમ ઈન્ડિયામાં ઘણા બદલાવો જોવા મળી રહ્યા છે. 18 ઓગસ્ટથી ઝિમ્બાબ્વે સામે શરૂ થઈ રહી ODI સિરીઝ માટે પહેલા ટીમના કેપ્ટનને બદલવામાં આવ્યા હતા અને હવે સમાચાર આવી રહ્યા છે કે આ માટે કોચ પણ બદલવામાં આવ્યા છે. ઝિમ્બાબ્વે સામેની આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ ટીમ સાથે સાથે નહીં હોય. રાહુલની જગ્યા એ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણ ટીમની સાથે ઝિમ્બાબ્વે જશે.
VVS Laxman will be India's head coach in Zimbabwe: BCCI secretary Jay Shah
રાહુલ દ્રવિડ યુએઇ ટ્રાવેલ કરશે
બીસીસીઆઈના સચિવ જય શાહે એક સમાચાર એજન્સીને આ વિશે માહિતી આપી હતી કે ઝિમ્બાબ્વે ટુર માટે નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના કોચ બનશે. એ બદલાવ એટલ માટે કરવામાં આવ્યો છે કારણ કે સિનિયર ટીમ ઈન્ડિયાને એશિયા કપ માટે યુએઇ ટ્રાવેલ કરવું પડશે અને તેની સાથે કોચ રાહુલ દ્રવિડ પણ યુએઇ ટ્રાવેલ કરશે. એટલા માટે ઝિમ્બાબ્વે ટુરના કોચ વીવીએસ લક્ષ્મણને બનાવવામાં આવ્યા છે.
વીવીએસ લક્ષ્મણ પહેલા પણ બની ચૂક્યા છે કોચ
આવું પહેલીવાર નથી થયું જ્યાં વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયા સાથે આ રીતે કોચની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ જ્યારે ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં આયર્લેન્ડના ટુર પર હતી ત્યારે પણ વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના કોચ બનીને ત્યાં સાથે ગયા હતા.
એશિયા કપ
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે તારીખ 18, 20 અને 22 ઓગસ્ટે વનડે મેચ રમવાની છે. તેની સામે એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. એટલા માટે ટીમ ઈન્ડિયાએ 23 ઓગસ્ટ સુધીમાં UAE પહોંચવાનું રહેશે. આ ટુરમાં ટીમ ઈન્ડિયા સાથે રહેલ કેએલ રાહુલ, દીપક હુડા એશિયા કપની ટીમમાં પણ સામેલ છે જે ઝિમ્બાબ્વેથી સીધા યુએઈ પહોંચશે.
📸📸 Snapshots from the High Performance camp for the U-19 boys at the NCA, Bangalore. 👌
શિખર ધવનને બદલે કેએલ રાહુલ
પહેલા ઝિમ્બાબ્વે ટુર માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા પણ એ પછી કેએલ રાહુલ સ્વસ્થ્ય થઈને પરત ફર્યા હતા એટલા માટે તેને કેપ્ટનશિપ સોંપી દેવામાં આવી હતી. હાલ ટીમના કેપ્ટન શિખર ધવન છે અને વાઇસ કેપ્ટન શિખર ધવન છે.